________________
અધ્યાય-૧ સૂત્ર-૧૬
૧૨૯ આ એકનું કે અ૫નું જ ગ્રહણ કરવું તેને અપગ્રાહી જાણવું.
આ રીતે મતિજ્ઞાન થતાં અલ્પગ્રાહિણી અવગ્રહ, અપગ્રહણ ઈહા, અપગ્રાહી અપાય અને અલ્પગ્રાહી ધારણું કહેવાય.
અ૫ શબ્દથી અહીં સંખ્યાવાચી અર્થમાં એક અને વૈપુલ્યવાચી અર્થમાં અલ્પ જ એમ સમજવું.
(૩) બહુવિધ ગ્રાહી:-બહુવિધ એટલે ઘણાં પ્રકારે. અહીં વિધ શબ્દ પ્રકારવાચી છે.
' - बहुव्यो विधा यस्य स बहुविधः
જેમ સ્ત્રી–પુષ્પ–વસ્ત્ર–ચંદનાદિ જે સ્પર્શ થયો તેમાં આ સ્પર્શ શીત છે–સ્નિગ્ધ છે–મૃદુ છે-કઠિન છે–ઉષ્ણ છે આદિનું જે ગ્રહણ કરવું તે બહુવિધગ્રાહી.
આ રીતે મતિજ્ઞાન થતાં બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિઘાહિણી “હા, બહુવિધગ્રાહી બહુવિધગ્રાહી અપાય અને બહુવિધગ્રાહી ધારણા કહેવાય.
ઘણા પ્રકારના ગુણો વડે ભિન્ન સ્પર્શને જણાવનાર એવું જ્ઞાન તેને બહુવિધ ગ્રાહી જ્ઞાન જાણવું.
(૪) એકવિધ ગ્રાહી:- એકવિધ એટલે એક પ્રકારે–સ્ત્રી પુષ્પ વસ્ત્ર ચંદનાદિમાં ગમે તે એકાદ સ્પશને જાણે. જેમકે-આ સ્પર્શ શીત છે અથવા આ સ્પર્શ સિનગ્ધ છે અથવા આ સ્પર્શ મૃદુ છે એવા એકાદનું જ જ્ઞાન થાય તેને એક વિધગ્રાહી જ્ઞાન કહ્યું.
આ રીતે મતિજ્ઞાન થતા એક વિધ ગ્રાહી અવગ્રહ, એકવિધગ્રાહિણી “હા, એકવિધ ગ્રાહી અપાય, એક વિશ્વગ્રાહી ધારણા કહેવાય.
(૫) ક્ષિપ્ર ગ્રાહી:– ક્ષિપ્રા એટલે જલદી થનારું જ્ઞાન. ઇંદ્રિયવિષય વગેરે બાહ્ય સામગ્રી બરાબર હોવા છતાં પણ ફક્ત પશમની પતાને લીધે કેઈને એ વિષયનું જ્ઞાન જલદી થાય છે. તેને ક્ષિપ્રગાહી કહ્યું.
જેમ કયાંય સંગીતના સ્વરો સંભળાય કે તુરંત જ આ શરણાઈ સીતાર હારમોનીયમ તબલાનો અવાજ છે તેમ પોતાના આત્મા વડે ઝડપથી જાણ લે તે ક્ષિપ્ર ગ્રહણ કરનાર ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org