________________
૧૨૭
1
અધ્યાય-૧ સૂત્ર–૧૬
(૮) નિશ્ચિત :- નિશ્રા કે લક્ષણ થકી જ્ઞાન થવું. (૯) અસંદિગ્ધ - સંદેહ રહિત પણે જ્ઞાન થવું. (૧૦) સંદિગ્ધ – સંદેહ યુક્ત જ્ઞાન થવું. (૧૧) ધ્રુવ:– એક વખત ગ્રહણ કર્યા પછી કદી ન વિસરે તેવું જ્ઞાન. (૧૨) અકવ:- જે ક્ષણેક્ષણે હિનાધિક થાય તેવું અસ્થિર જ્ઞાન.
-તા:-ઈતર એટલે બીજા અહીં તેને અર્થ વિકલ પક્ષે થાય. સ એટલે સાથે.
[6] અનુવૃત્તિ () મતિઃ સ્મૃત્તિ: સંજ્ઞા થી : (२) अवग्रहेहापाय धारणाः. [7] પ્રબોધ ટીકા
; અહીં બહુ-બહુવિધ ક્ષિપ્ર-અનિશ્રિત-અસંદિગ્ધ-ધ્રુવ એ છે ભેદ તથા તેના વિરોધી એવા અબહુ વગેરે છ ભેદ ના અવગ્રહ–હા અપાય-ધારણ રૂપ મતિજ્ઞાનના પ્રકારે અત્રે વર્ણવેલા છે. - અવગ્રહનું સ્વરૂપ સૂત્ર ૧ : ૧૫માં વર્ણવેલું છે. ક્ષપશમની વિચિત્રતાથી આ બહુ વગેરે વિવિધ ભેદ પડેલા છે.
એટલે સ્વાભાવિક જ મતિજ્ઞાનના આ બધાં ભેદ થશે. તે ભેદમાં પ્રથમ પાંચ ઇન્દ્રિય અને છઠું મન એ છ સાધને થકી અવગ્રહાદિની ગણના કરવી અર્થાત્ બહુગ્રાહીના ૨૪ ભેદ થશે. છ અવગ્રહ–છ ઈહાછ અપાય-છ ધારણ.
આ રીતે બહુ-અબહ વગેરે જે બાર ભેદની ચર્ચા અને કરવાની છે તેના પાંચ ઈન્દ્રિય અને છઠું મન રૂ૫ કુલ છ અવગ્રહ-છ ઈહા-છ અપાય અને છ ધારણ એમ ૨૪-૨૪ ભેદે થશે.
કુલ ૨૪ ભેદ x ૧૨ બહ-વગેરે ભેદ= ૨૮૮ ભેદ [સૂત્ર: ૧૮માં વ્યંજનાવગ્રહની વાત આવે છે તે વ્યંજનાવગ્રહના મન તથા ચક્ષ સિવાયના બીજા ચાર ભેદ–(સ્પર્શન, રસન, ધ્રાણ, છેત્ર) છે. તેથી બહુ-અબહુ સાથે ગુણતાં ૧૨ x ૪ = ૪૮ ભેદ થશે.] [આ રીતે ૨૮૮ + ૪૮ = ૩૩૬ ભેદ મતિજ્ઞામના થયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org