________________
અધ્યાય-૧ સૂત્ર-૧૫
૧૨૫
અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા–પનું વિવેચન (૨) વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૧૮૧થી ૧૮૫૨૮૮-૨૯૧
તસ્વાર્થ સંદર્ભ અધ્યાય : ૧ ગાથા ૧૮–૧૯-૨૦ અર્થ અને વ્યંજન-અવગ્રહ.
[9] પધ (૧) તે જ્ઞાનના છે ચાર ભેદે અવગ્રહ ઈહા વળી
અવાય છે ધારણ જે બુદ્ધિ સાધે નિર્મળી (૨) ઈહા અવાય અને ત્રીજા, ધારણ અર્થને અડે અવગ્રહ અડે ચેાથે વ્યંજન તેમ અર્થને
[10] નિષ્કર્ષ આ સૂત્રમાં અવગ્રહ-ઈહા-અવાય ધારણ ચાર ભેદ કહ્યા. અર્થોના અવગ્રહણને અવગ્રહ કર્યો. વિચારણાને ઈહા કહી, અર્થના–નિર્ણયાત્મક નાનને અવાય કહ્યું અને ઉપયોગની અવિસ્મૃતિ–વાસના-સ્મૃતિને ધારણા કહી.
જીવે પણ આપ્તવચનથી- સાધુ મુખે શ્રવણથી આત્માનું સ્વરૂપ, સાંભળવું. પરપદાર્થો તરફથી લક્ષ ખેચી સ્વ સન્મુખ લક્ષ કરવું.
પ્રથમ સ્થૂળપણે સામાન્યથી આમા સંબંધી જ્ઞાન થવું તે, આત્માને અર્થાવગ્રહ
પછી આત્મજ્ઞાન સંબંધિ વિચારણા કરવી તેને ઈહા કહ્યું.
ઈહા થકી જાણેલ આત્મા “આ તે જ છે” અન્ય નથી એવું નિશ્ચયાત્મક જ્ઞાન તે અવાય.
આત્મા સંબંધે કાલાંતરે પણ સંશય તથો વિસ્મરણ ન થાય તે ધારણા.
આ સૂત્ર દ્વારા આતમજ્ઞાન-આત્મ જાગૃતિ અને છેવટે પ્રશસ્ત શભ દયાન પ્રતિ કેન્દ્રિત થવું અને અવગ્રહથી ધારણા સુધી પહોંચવું તે જ સુંદર નિષ્કર્ષ નીકળી શકશે.
| – T – U — U — U — U - B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org