________________
અધ્યાય-૧ સૂત્ર-૧૫
૧૨૩ | શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અર્થાવગ્રહ જ્ઞાનને કાળ-પ્રમાણ એક સમય છે, ઈહાને અંતમુહૂર્ત પ્રમાણ સમય છે, અવાયનો પણ અંતમુહૂર્ત પ્રમાણુ કાળ છે. ધારણાને કાળ સંખ્યાત અને યુગલિયાઓની અપેક્ષાએ અસંખ્યાત કાળ છે.
અર્થાવગ્રહ જ્ઞાનેપગ એક સમય, ઈહા અને અવાયને ઉપયોગ અર્ધ મુહૂર્ત પ્રમાણુ તથા ધારણુને કાળ પરિણામ સંખ્યાતઅસંખ્યાત કાળ.
| મતિના કુલ ભેદ :- આ રીતે ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ, છ પ્રકારે અર્થાવગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારે અવાય અને છ પ્રકારે ધારણા એમ કુલ ૨૮ ભેદ મતિજ્ઞાન કે આભિનિબેધિક જ્ઞાનના જાણવા.
અવગ્રહાદિનું દૃષ્ટાન્ત :- [શ્રી નંદિ સૂત્ર અનુસાર) (૧) શ્રોત્રેન્દ્રિય સંબંધે – કોઈ વ્યક્તિના કાને અવ્યક્ત શબ્દ અથડાય ત્યારે તે ભાષાના પુદ્ગલે તે પુરુષના કર્ણ દ્વારા પ્રવેશી શ્રેગેન્દ્રિય સ્પશે તદઅનંતર આ શબ્દ છે તેવું તે વ્યક્તિ જાણે તે અવગ્રહ. - આ શબ્દ કયે છે? [અમુક પુરુષનો કે સ્ત્રીને કે અન્ય કોઈ ] તે વિચારણા એ ઈહા.
પછી આ શબ્દ અમુકને જ છે. જેમકે ખર સ્વર છે એટલે અમુક પુરુષને જ હોવું જોઈએ તેવું નિશ્ચયાત્મક જ્ઞાન તે અવાય. - ત્યાર પછી તેને સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી ધારણ કરે છે તે ધારણા
(૨) ચક્ષુરિન્દ્રિય સંબંધ છે :- કેઈ વ્યક્તિએ અસ્પષ્ટરૂપ જોયું તેને “આ કેઈ રૂ૫ છે” તેમ ગ્રહણ કરે પણ તેનું રૂપ છે તે જાણે નહીં તેને અર્થાવગ્રહ કર્યો.
પછી આ રૂ૫ અમુક છે તેવું જાણે. [આ જડ રૂપ છે કે પુરુષાકૃતિ. જડ તે સ્થિર હોય. ચેતન તો હાલચાલે એવી વિચારણું તે ઈહા.
પછી અવાચમાં પ્રવેશે ત્યારે તે ઉપગત થઈ જાય. આ (ચેતના કૃત) પુરુષ જ છે કેમ કે હાલે ચાલે છે તે નિશ્ચય તે અવાય)
પછી ધારણામાં પ્રવેશેલ જ્ઞાન સંખ્યાત–અસંખ્યાત કાળ સુધી રહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org