SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ તત્વાર્થસૂત્ર પ્રધટીકા (૧) પ્રતિપત્તિ યથાસ્વમ્ અર્થાત અવિસ્મૃતિ: અપાય થયા પછી અંતમુહૂર્ત સુધી તે જ વિષયને ઉપગ એમને એમ ચાલુ રહે છે.-વિચુત થયે નથી, તે અવિસ્મૃતિ ધારણા (૨) મત્યવસ્થાપન અર્થાત્ વાસના: અવિશ્રુતિ ધારણ પછી ક્ષપશમ રૂપે સંખ્યાતા અસંખ્યાતા ભવ સુધી રહે છે તે વાસના. (૩) અવધારણ અર્થાત સ્મૃતિ-ધારણા – સ્મરણાદિક રૂપે પાછું યાદ આવે છે તે ધારણું તેમાં પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ નિમિત્ત બનતાં જાગૃત થાય છે. | શ્રી ભાષ્યકાર ધારણાના પર્યાય શબ્દને જણાવતાં પ્રતિપત્તિ, અવધારણ, નિશ્ચય, અવસ્થાન, અવગમ, અવધ એ શબ્દો પ્રાજે છે. _| ધારણાના છ ભેદ છે. દ્રિય ધારણા, ચક્ષુરિન્દ્રિય ધારણા, ધ્રાણેન્દ્રિય ધારણા, રસનેન્દ્રિય ધારણ, સ્પર્શનેન્દ્રિય ધારણ નેઈન્દ્રિય ધારણ. | શ્રી નંદિસુત્રમાં ધારણાના એકાઈક એવા પાંચ નામે કહ્યા છે– ત નહીં ધરા-ધાણા–ટવા-પટ્ટો સે ત ધારા. (૧) ધારણ:- જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ ગ્ય નિમિત્ત મળતા જે સ્મૃતિ જાગી. ઉઠે તે ધારણ. (૨) ધારણું – જાણેલા અર્થને અવિશ્રુતિ પૂર્વક અંત મુહૂર્ત સુધી ધારણ કરી રાખવું. (૩) સ્થાપના :- નિશ્ચય કરેલ અર્થની હૃદયમાં સ્થાપના કરવી. તેને વાસના પણ કહે છે. (૪) પ્રતિષ્ઠા:- અવાય દ્વારા નિર્ણત અર્થોને ભેદ-પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન કરવા. (૫) કેષ્ઠ :- જેમ કેષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થતા સુરક્ષિત રહે છે તે રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવા. | અવગ્રહાદિનો કાળ :- અવગ્રહ આદિ કમિશ: પ્રવર્તતા હોવા છતાં અતીશીવ્રતાથી પ્રવર્તતા હોવાથી તેને ખ્યાલ આવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy