________________
તવાર્થ સૂત્ર પ્રધટીકા
T સમ્યકજ્ઞાન :-(૧) જીવ–અછવ વગેરે પદાર્થોને યથાર્થ અવધ.
(૨) પ્રમાણ અને નય થકી જીવાદિ તને સંશય-વિપર્યય અને અનધ્યવસાયથી રહિત બેધ તે સમ્યફ જ્ઞાન. તે ચારિત્ર :- વતન અથવા આચરણ D સમ્યફ ચારિત્ર:- (૧) નિજ સ્વરૂપે સ્થિરતા
(૨) યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી એટલે કે રાગ-દ્વેષાદિ ભાવ અને મન-વચન-કાયાના વેગથી નિવૃત્તિ તથા સકિયાની પ્રવૃત્તિ તે સમ્યફચારિત્ર. | મોક્ષ :- (૧) જ્ઞાન અને વિતરાગ ભાવની પરાકાષ્ઠા
(૨) સંચિત થયેલા અને થતા કર્મોને સર્વથા ક્ષય કરે. | માગ :- સાધન અથવા પથ.
મોક્ષમાર્ગ : આત્માની સર્વથા શુદ્ધિનો પથ અથવા આત્મશુદ્ધિ કે સ્વરૂપ દર્શન માટેના સાધને તે મોક્ષમાર્ગ. *
[6] અનુવૃત્તિ આ સૂત્ર પ્રથમ સૂત્ર જ હોવાથી તેમાં અન્ય કોઈ સૂત્રની અનુવૃત્તિ આવશે નહીં. 1 [7] પ્રબોધ ટીકા
, [] સૂત્રમાં સર્વપ્રથમ મૂકેલો સમ્યફ શબ્દ માત્ર દર્શન પદ સાથે નહીં જોડતા દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણે પદે સાથે જોડવાનો છે. કારણ કે “સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ? અહીં ઘાવદુ ટૂ નિયમાનુસાર દ્વન્દ સમાસ થયેલ છે. અને વ્યાકરણના નિયમ (દૃન્દાવન ટુન્નાતે શ્રયમાં પરું પ્રત્યે મનન) મુજબ દ્વન્દ્ર સમાસની આદિમાં કે અંતમાં જોડાયેલ શબ્દ પ્રત્યેક શબ્દ સાથે સંબંધ ધરાવે છે.
જેમ રામ લક્ષમણ સીતા વનમાં ગયા તેમ કહેવાથી રામ વનમાં ગયા–લક્ષમણ વનમાં ગયા–સીતા પણ વનમાં ગયા એવું નક્કી થઈ જાય છે તે રીતે અહીં સમ્યફદર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યક્ ચાત્રિ એ પ્રમાણે સમ્યફ શબ્દ ત્રણે પદ સાથે જોડાયેલા સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org