________________
અધ્યાય-૧ સૂત્ર-૧૫
૧૧૯ (૨) ઉપધારણુતા :- વ્યંજનાવગ્રહના શેષ સમયમાં નવીન નવીન પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરવા અને પહેલા ગ્રહણ કરેલાને ધારણ કરવા તે. કારણ કે આ જ્ઞાન વ્યાપારને આગળ આગળના સમય સાથે જોડે છે. અર્થાત્ અવ્યક્તથી વ્યક્તાભિમુખ થઈ જનાર અવગ્રહને ઉપધારણતા કહેવાય છે.
(૩) શ્રવણતા :- જે અવગ્રહ શ્રોન્દ્રિય થકી થાય તે શ્રવણુતા કહેવાય છે. એક સમયમાં થનાર સામાન્ય અર્થાવગ્રહ બેધરૂપ પરિણામ શ્રવણતા કહેવાય છે.
(૪) અવલંબનતા :- અર્થનું ગ્રહણ કરવું તે. જે અવગ્રહ સામાન્યજ્ઞાનથી વિશેષાભિમુખ કરે તથા ઉત્તરવતી ઈહા-અવાય અને ધારણ સુધી પહોંચાડનાર છે તે અવલંબનતા કહેવાય.
(૫) મેઘા :- સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરે છે. તેમજ ધારણું સુધી પહોંચડનાર છે.
૨) દા :– “કંઈક છે” એ બંધ થયા બાદ “તે શું છે? એવી જિજ્ઞાસા થાય છે. “તે શું છે?” એવી જિજ્ઞાસા ને સંતોષવા અર્થાત્ “તે વસ્તુ શું છે?” એને નિર્ણય કરવા માટે થતી વિચારણું તે ઈહા.
જેમકે કેઈક ચીજને સ્પર્શ થશે અને અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ કર્યો. ત્યાર પછી એવી વિચારણા કરે કે-શું આ સ્પર્શ દેરડાને છે કે સપને? ના ના દેરડું હોવું જોઈએ, સાપ તે કુંફડે મારે આવી વિચારણું તે ઈહા.
] અવગ્રહ થયા પછી વિષયાર્થના એક સામાન્ય અંશના જ્ઞાન ઉપરથી બાકી રહેલા બીજા વિશેષ અંશના જ્ઞાન તરફની પ્રવૃત્તિ અર્થાત્ અમુક પ્રકારનો ચોકકસ નિર્ણય જાણવાની ઈચ્છા પૂર્વક પ્રયત્ન તે ઈહા.
] ઈહાના ઉહા–ચેષ્ટા-તર્ક-પરીક્ષા વિચારણા જિજ્ઞાસા એ પર્યાય વાસી શબ્દ છે. . G નિશ્ચય વિશેષની જીજ્ઞાસા એટલે અપાય સુધી પહોંચવાની ઈરછા તે ઈહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org