SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તત્વાર્થસૂત્ર પ્રધ્યેાધટીકા નિર્દેશવાળું અર્થાત્ સ્વરૂપ કલ્પના અને નામાદિ કલ્પના રહિત વસ્તુને જણાવનારું જ્ઞાન તેને અવગ્રહ કહે છે. તેના સંબંધ અવ્યક્ત કે અફ્રૂટ અવધારણ સાથે છે. આ અવ્યક્ત જ્ઞાન કેાને અને કેવી રીતે સમજવું તે જણાવતા સિદ્ધસેનીય ટીકામાં લખે છે કે જે આત્મીય એટલે પોતાના વિષયમાં સ્પનાદિ સાધના વડે જે વિષયાનું જ્ઞાન છે તેનુ અવ્યક્ત અવધારણ થવું અથવા મર્યાદા પૂર્વક થતું જ્ઞાન. ૦ અવગ્રહના પ્રકાર:– (૧) વ્યંજનાવગ્રહ– ઉપકરણ ઇંદ્રિય થકી તે તે ઇંદ્રિયના વિષયનુ –વિષય અને વિષયીના સંબંધથી થયેલું અતિ અવ્યક્ત જ્ઞાન તે વ્ય જનાવગ્રહ. સક્ષેપમાં કહીએ તા ઇંદ્રિયને વિષય પ્રાપ્ત પઢા નુ અવ્યક્ત પણે જાણવુ' તે વ્યંજનાવગ્રહ. આ વ્યંજનાવગ્રહું ચાર ભેદે છે. સ્પનરસન-પ્રાણ-શ્રેત્ર આ ચાર ઇંદ્રિયાને વ્યંજનાવગ્રહ હોય છે. [જુએ સૂત્રઃ૧–૧૮ અને ૧૯] (૨) અર્થાવગ્રહ :-ઇન્દ્રિયને વિષયપ્રાપ્ત પદાર્થાંનું સામાન્યપણે જાણવું' તે અર્થાવગ્રહ. કર્ક છે એવુ જે જ્ઞાન” તે અર્થાવગ્રહ. શબ્દ–રૂપ આદિ વિષયનું સામાન્ય માત્ર અવ્યક્તપણે જાણવુ તે અર્થાવગ્રહ. આ અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન, એમ છ ભેદે હાય છે. 7 અર્થાવગ્રહના અન્ય નામ તથા રહસ્ય, [શ્રી ન...સૂિત્ર આગમમાં મતિજ્ઞાન [ાભિનિબેધજ્ઞાન] ના ભેદોના વિભાગમાં અર્થાવગ્રહના છ ભેદો બાદ આ પ્રકરણ છે] पंच नामधिज्जा भवंति तं जहा ओगेण्हणया, उवधारणया, सवणया, अवलंबणया मेहा (૧) અવગ્રહણુતા :– જેના દ્વારા શખ્વાદિ પુદગલે ગ્રહણ કરાય તેને અવગ્રહ કહેવાય પૂર્વે મહેલ વ્યંજનાવગ્રહ અન્તમુ હત સુધી હેાય છે. તેના પહેલાં સમયમાં જે અવ્યક્ત ઝલક ગ્રહણ કરાય છે તે અવગ્રહણુતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy