________________
અધ્યાય-૧ સૂત્ર–૧૪
૧૧૩ ૦ સ્પશન-રસન–પ્રાણ–ચક્ષુ – શ્રેત્ર આ પાંચે પિતાના વિષયમાં પ્રવર્તે છે અને અન્યના અભાવને નિયમ કરે છે.
તેથી સ્પર્શનનું સ્પર્શના વિષયમાં, રસનનું રસના વિષયમાં, ઘાણનું ગંધના વિષયમાં, ચક્ષુસૂનું રૂપના વિષયમાં અને શ્રેત્રનું શબ્દના વિષયમાં એ રીતે સ્પર્શન–ઈદ્રિય વગેરે પાંચેનું વિષયમાં પ્રવર્તમાન થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તે–તે ઇન્દ્રિયના આલંબનથી ઉત્પન્ન થતું ઇન્દ્રિય નિમિતમ જ્ઞાન કહેવાય છે.
| અનિન્દ્રિય નિમિત્ત કઈ રીતે?
ક્રિયાનું વચમ્ રૂતિ નત્રિય. ઇન્દ્રિયથી અન્ય અથવા પર તેને અનિદ્રિય કહ્યું.
મન અને ઓઘ. તે (તે બંને) નિમિત્તનું જે મતિજ્ઞાન તેને અનિન્દ્રિય નિમિત્તમ કહ્યું. જેમકે સ્મૃતિજ્ઞાનને હેતુ મન છે.
મનોવૃત્તિ-મનનું વિજ્ઞાન-મનના ભાવો કે વર્તન, વિષયજ્ઞાન જન્ય પરિણતિ. આવા કેઈપણ શબ્દથી ઓળખવાની પ્રવૃત્તિ કે જેનું નિમિત્ત મન હેય. તે અનિન્દ્રિય નિમિત્ત.
શોધજ્ઞાન :- સામાન્યથી જ્યાં સ્પર્શનાદિ ઈન્દ્રિયો નથી અને મનના નિમિત્તને પણ જ્યાં આશ્રય કરાતું નથી. પરંતુ કેવળ મતિ આવરણીયને પશમ જ તે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત છે. જેમ વેલડી કે વેલાઓનું ઉપર ચડવું–તેમાં સ્પશન નિમિત્ત પણ નથી અને મનનું નિમિત્ત પણ નથી. તેથી ત્યાં મતિજ્ઞાનાવરણ ક્ષપશમ જ એક માત્ર નિમિત્ત ગણાય છે. તેને એઘજ્ઞાન કહ્યું. તે પણ અનિન્દ્રિય નિમિત્તે જાણવું.
|| ઇન્દ્રિય-અનિનિદ્રય–ઉભયનિમિત્ત
(૧) એક જ ઈન્દ્રિય નિમિત્ત જ્ઞાનને મતિ કહ્યું. જેમકે પૃથ્વિ–પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિ એક ઈન્દ્રિયવાળા છે. તદુપરાંત બે ઈન્દ્રિય ત્રણ ઈદ્રિય ચાર ઈદ્રિયવાળા તથા અસંપિચેન્દ્રિને મનને અભાવ છે.
આ બધાને માત્ર ઈન્દ્રિય નિમિત્ત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org