________________
૧૧૨
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા | ચક્ષુ આદિ પાંચ ઈન્દ્રિય બાહ્ય સાધન છે અને મન આંતરિક સાધન છે તે કારણે ઇંદ્રિય અને અનિદ્રિય એ સંજ્ઞા ભેદ કર્યો છે. બાકી બને મતિજ્ઞાનના નિમિત્ત રૂપ છે. | | પૂર્વે જણાવેલ મતિજ્ઞાન [માદિ પાંચ જ્ઞાન સામાન્યથીપ્રત્યેક જીવને પોતપોતાના મતિજ્ઞાનાવરણય કર્મના પ્રાપ્ત થયેલ ક્ષપશમ અનુસાર અને વિશેષથી કહીએ તે નામ કર્માનુસારે પ્રાપ્ત ઇંદ્રિયા ના નિમિત્ત દ્વારા ઉપયોગ અનુસારે થતું હોય છે.
સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું. રસનેન્દ્રિય દ્વારા રસનું, ઘણેન્દ્રિય દ્વારા ગંધનું, ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપ કે આકૃતિનું અને શ્રેગેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન થાય છે.
મન પણ ઈન્દ્રિય થકી ગ્રહણ કરાયેલ કે નહીં કરાયેલ વિષય સંબંધિ વિશેષ પ્રકારે વિચારણા કરે છે. | | તત્ શબ્દથી મતિજ્ઞાનનું અવતરણ કર્યું છે. મતિની અનુવૃત્તિ તત્ શબ્દથી-ન લે તે પણ સમજી શકાય તેમ હતી, છતાં અહીં તંદુ શબ્દને જે પ્રયોગ કર્યો છે તેના બે હેતુઓ છે.
(૧) અનન્તરપણું દર્શાવવા. ઇંદ્રિય અને અનિન્દ્રિયના વ્યાપાર પછી તુરંત મતિજ્ઞાનની ઉત્પત્તિની મુખ્યતાએ અહીં તત્ શબ્દથીમતિજ્ઞાનની અનુવૃત્તિ લીધી છે.
T એ રીતે સંદેહ નિવૃત્તિ કે સ્પષ્ટતા થઈ જાય છે કેમકે શ્રુતજ્ઞાન પણ ઈન્દ્રિય-અનિન્દ્રિયની મદદથી જ પરંપરાઓ ઉત્પન્ન થાય છે.
(૨) પછીના સૂત્ર : ૧૫ માં પણ મતિજ્ઞાનની અનુવૃત્તિ લઈ જવાની છે.
| ઈન્દ્રિય નિમિત્ત કઈ રીતે?
સ્પર્શન વગેરે પાંચ (ઈદ્રિય) નિમિત્ત છે જેના તેને ઈન્દ્રિય નિમિત્તે કહ્યું.
આ વસ્તુની વિશેષ સ્પષ્ટતા કરતા જણાવે છે કે અહીં નિમિત્તમ કહ્યું તે ત્રઈદ્રિયને કારણે આ શબ્દ થયે કે સ્પર્શનના અંતરથી આ શીત અથવા ઉsણ એમ ઉત્પન્ન થયું કે ધ્રાણેન્દ્રિયથી ઋગંધદુર્ગધ થઈ વગેરે...તેમ ન સમજતા જેનું સ્પર્શનાદિ પાંચ નિમિત્ત છે તે ઇન્દ્રિય નિમિત્ત છે તેવો સમુદિત અર્થ ગ્રહણ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org