SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા, [10] નિષ્કર્ષ આ સૂત્રમાં મતિજ્ઞાનના પર્યાયે જણાવેલા છે તેમાં સુંદર વૈરાગ્યમય નિષ્કર્ષ તારવી શકાય છે. સ્મૃતિમાં અતિત કાળ વિષયક સ્મરણને લીધું. આતમ સ્મરણ થતું નથી, પ્રભુ સ્મરણ થતું નથી, વીતરાગવાણીનું સ્મરણ થતું નથી, સુકૃતનું સ્મરણ થતું નથી–કેમ? કારણ સ્મૃતિ તે પૂર્વે અનુભવેલ પદાર્થની હેય. આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કે ચિંતવના કરી હોય તે સ્મરણ થાય ને? પ્રભુની વંદના–ભજના કરી હોય તે સ્મરણ થાયને? વિતરાગવાણીનું શ્રવણ મનન કર્યું હોય તે સ્મરણ થાયને? આ સૂત્રમાં સ્મૃતિજ્ઞાનનો આજ નિષ્કર્ષ ગ્રાહ્ય છે. જે મોક્ષમાર્ગને સમજ્યા છે તે તેને અનુસરતી પ્રવૃત્તિ કરવી જેથી તેનું સ્મરણ રહે. આ જ બીજો શબ્દ છે ચિંતાજ્ઞાન. “જો આમ હશે તે તેમ થશે” એવી ચિંતા જ કરાતી હોય છે. [ત્યાં પૂ. સિદ્ધસેનગણિજી એ આપેલ દષ્ટાન્ત મનનીય છે. જે જ્ઞાનાદિત્રયને સમન્વય થશે તે પરમસુખની પ્રાપ્તિ થશે અન્યથા નહીં. મનમાં ચિંતન તે થવાનું જ તે શુભ ચિંતન કેમ ન કરવું ? આ શાસ્ત્રમાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ સૂત્રમાં જ મોક્ષમાર્ગ માટે દર્શન-જ્ઞાન–ચારિત્ર સાધને બતાવ્યા. જે આ ગાણું સાધન એકત્રિત ઉપયોગ કરશે તે મોક્ષ મળશે. માટે આ સૂત્રનો નિષ્કર્ષ છે કે શુભ ચિંતન જ કરવું. 0 – 1 – T – E – E – H – D – 3 અયાય : ૧-સૂગ : ૧૪ [1] સૂત્રહેતુ આ સૂત્ર થકી મતિજ્ઞાનનું સ્વરૂપ અથવા મતિજ્ઞાન ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે. [2] સૂત્ર : મૂળ तदिन्द्रियानिन्द्रिय निमितम् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy