________________
૧૦૮
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા જે પ્રકાર અથે લઈએ તે–“એ પ્રકારે પાંચ એકર્થક શબ્દ છે” તેમ કહેવાય. જે આદિ અર્થ લઈએ તે બુદ્ધિ–મેઘા વગેરે અર્થો પણ થાય.
I અર્થ વિવેક્ષાથી મતિ વગેરે શબ્દ ભિન્ન લાગે તે પણ તેને એકાઈક જ કલ્પવા તેવું સ્પષ્ટ સૂચન છે. કારણ કે જેમ અતિ તિ નૌઃ એ વ્યુત્પત્તિ અર્થ લેવામાં આવે તે જોઈને અર્થ ગાય-ઘડે વગેરે બધાં ચાલવાવાળાને ગ્રહણ કરવા પડશે. છતાં તેમ ન કરતા
ને અર્થ માત્ર “ગાય” જ કર્યો છે. તે રીતે મરિ-સ્કૃતિ વગેરેને વ્યુત્પત્તિ અર્થ ભિન્ન હોવા છતાં પર્યાયવાચી જ સમજવા.
વળી જેમ ઈદ્ર-શુક્રપુરંદર–શચિપતિ વગેરે શબ્દમાં શબ્દ ભેદ છે–વ્યુત્પત્તિ ભેદ છે. છતાં તેને અર્થ ઈન્દ્ર સર્વ સ્વીકૃત છે. તે રીતે મતિ-સ્મૃતિ-સંજ્ઞા–ચિંતા વગેરેમાં શબ્દ ભેદ અને વ્યુત્પત્તિ ભેદ હેવા છતાં તેમાં અનન્તર કહ્યું હોવાથી અન્તર સમજવું નહીં પણ પર્યાયવાચી જ સમજવા.
જેમ અગ્નિ એટલે? તુરંત વિચાર આવશે કે ઉષ્ણ છે તે કેન ઉષ્ણ? પ્રશ્નથી અગ્નિનું સ્મરણ થવાનું. તે રીતે “સમાન પ્રશ્નોત્તર ન્યાયથી મતિ વગેરેમાં પણ એમ જ સમજવું જેમકે મતિજ્ઞાન શું ? જે સ્મૃતિ વગેરે છે તે. સ્મૃતિ વગેરે શું છે? જે મતિજ્ઞાન છે તે. | | આગમમાં પણ આભિનિબોધિક જ્ઞાન શબ્દના સંજ્ઞા સ્મૃતિ મતિ ચિંતા વગેરે પર્યાયે જણાવેલા છે. એ રીતે જે લોકે વ્યવહારમાં મતિને અર્થ વર્તમાન જ્ઞાન, સ્મૃતિ ને અર્થ અતીત જ્ઞાન, ચિંતાને અર્થ તર્ક, અભિનિબોધનો અર્થ અનુમાન કરે છે તેના મતનું ખંડન થઈ જાય છે. વાસ્તવમાં અહીં સૂત્રકારે સ્મૃતિ વગેરે નામને સંગ્રહ વિવિધ જ્ઞાનની અપેક્ષાએ કર્યો જ નથી.
|| લોક વ્યવહારથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ વગેરે અર્થો કરાય છે તે શું છે?
(૧) કેટલાંક તૈયાયિકે મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણે છે. (૨) સ્મૃતિને સ્મરણ કે પરોક્ષપ્રમાણ જ્ઞાન રૂપે ઓળખાવે છે.
(૩) સંજ્ઞા ને “તર્ક” તરીકે ઓળખાવે છે. હેતુ અને સાધ્યની એક સ્થાને વ્યાપ્તિ જેવામાં આવવાથી બધે સ્થાને તે વ્યાપ્તિ લાગું કરવી. જેમકે લીલા લાકડા સળગે ત્યારે ધૂમાડે તે જોઈ જ્યાં જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org