________________
૧૦૦
તત્વાર્થ સૂગ પ્રધટીકા પૂર્વે પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંના પ્રથમના બે જ્ઞાન તેને પરોક્ષ પ્રમાણ ગણ્યા માટે અન્ય બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ થાય. | | અવધિ-મના પર્યાય અને કેવળ એ ત્રણ જ્ઞાને પ્રત્યક્ષ [પ્રમાણ છે આ જ્ઞાનને પ્રત્યક્ષ એટલા માટે કહ્યા છે કે તે ઇન્દ્રિય તથા મનની મદદ વિના ફક્ત આત્માની યોગ્યતાથી સાક્ષાત્ આત્માને જ ઉત્પન્ન થાય છે.
[ આ મિક્ષ માર્ગ દર્શાવતું શાસ્ત્ર છે તેથી તેમાં આત્મસાપેક્ષતા જ મહત્ત્વની ગણી છે. અને આત્મા અર્થ જ ગ્રાહ્ય કરી, “આત્માની ચેગ્યતાના બળથી ઉત્પન્ન થતાં એવા અવધિ આદિ ત્રણને પ્રત્યક્ષ કહ્યાં.
| ઇદ્રિય તથા મને જન્ય જ્ઞાનને કયાંક પ્રત્યક્ષ કહ્યું છે તે ન્યાયશાસ્ત્ર કે લેકાધારે સમજવું. અધ્યાત્મ શાસ્ત્રમાં તે પક્ષ જ ગણેલ છે. | | આત્મા પ્રતિ જેને નિયમ હેય એટલે પર નિમિત્ત એવા ઈદ્રિયો-મન-ઉપદેશ વગેરે રહિત આત્માના આશ્રયે જે ઉપજે છે અને તેમાં અન્ય કેઈ નિમિત્ત હોતું નથી એવું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે.
[ પ્રત્યક્ષ જ્ઞાનને માટે ભાષ્યકારે લક્ષણ બાંધ્યું કે તે અતીન્દ્રિ છે. અતીન્દ્રિય ને અર્થ ફરિયમ્ તિન્તઃ એવો લીધે છે. અર્થાત ચક્ષુ-શ્રોત–વગેરે પાંચ ઈન્દ્રિય અને મન કે જેને અનિદ્રિય કહ્યું છે. તે બંનેની સહાયતાની જેમાં અપેક્ષા રહેતી નથી.
વળી જે ઈન્દ્રિય જ્ઞાનને પ્રત્યક્ષ માનવા જઈશું તે સર્વજ્ઞતા જ સ્થિર નહી રહે. કેમકે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનને [કેવળજ્ઞાનને પ્રત્યક્ષ માનેલું છે હવે જે તેને ઈન્દ્રિયજન્ય માનશે તે ઇન્દ્રિયને વિષય તે અલ્પ અને નિયત છે માટે તન્દ્રય લક્ષણ જ સાર્થક છે. - I સિદ્ધ સનીય ટીકામાં જણાવે છે કે જે પ્રત્યક્ષતામાં અંતર નિમિત્ત એવા ક્ષપશમને કારણ રૂ૫ ગણીશું તે તે મતિ વગેરે સર્વેમાં સાધારણ ક્ષાપશમ કારણ રહેવાનું જ. તેથી તે પાંચે જ્ઞાન પ્રત્યક્ષ જ ગણાશે. આ
[સર્વથા જ્ઞાનાવરણીય કર્મક્ષય લક્ષણ વિચારશે તે કેવળજ્ઞાન સિવાય કઈ પ્રત્યક્ષ નહીં રહે એટલે પ્રત્યક્ષતા માટે પૃથગ નિમિત્તને જણાવતા લખ્યું કે ત્રણે જ્ઞાનની પ્રત્યક્ષતાને પ્રગટ કરવામાં અતીન્દ્રિય જ મુખ્ય કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org