SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે દિવસ [[રવિવાર, તા. ૯ એપ્રિલ ૧૯૩૯] સત્રને ત્રીજા દિવસને કાર્યક્રમ સવારે આઠ વાગે શરૂ થયો હતું. પ્રમુખશ્રીએ લાઠીના નામદાર ઠાકોર સાહેબ તથા કરાંચીથી મુનિશ્રી વિદ્યાવિજયજીના શુભેચ્છક સંદેશાનો ઉલ્લેખ કર્યો હતે. વખતનો અભાવ હોવાથી–લેખકોને તેમનું વાચન ટૂંકમાં પતાવી દેવાની વિનંતિ કરવામાં આવી હતી. આ પછી શ્રી. વલ્લભદાસ ગાંધી, શ્રી લાલચંદ ગાંધી, શ્રી. ભોગીલાલ સાંડેસરા, મુનિશ્રી જિનવિજયજી અને અન્ય પ્રતિષ્ઠિત લેખકેનાં નિબંધેનું સારરૂપ વાચન થયું હતું. આ નિબંધ વાચન સમયે વડોદરાના નામદાર દીવાન સાહેબની પધરામણ થઈ હતી–જેમને એ સત્કાર કર્યો હતે. આ પછી શ્રી. જોતીન્દ્ર હ. દવેએ તેમની લાક્ષણિક શૈલીમાં પ્રસંગોચિત ભાષણ આપી સર્વને મુગ્ધ કર્યા હતા. આ પછી સત્રના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, હવે આપણે કાર્યક્રમ પૂરો થાય છે. માત્ર ઔપચારિક વસ્તુઓ પૂરી કરી ઉપસંહાર કરો બાકી છે. પહેલાં, હૈમ સારસ્વત સત્રમાં નામદાર દીવાન સાહેબ છેલ્લે છેલ્લે આવી પહોંચ્યા છે, તે માટે આનંદ થાય છે. સદ્દગત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ અને પરિષદને જૂને સંબંધ છે. સાહિત્ય પરિષદની વડોદરાની બેઠકમાં સદ્દગત મહારાજાશ્રીએ જાતે આખો વખત હાજરી આપી હતી. વડોદરા રાજ્યમાં ભરાયેલી આ પરિષદમાં મહારાજા સાહેબ આવ્યા નથી, પણ તેમના પ્રતિનિધિ આવ્યા છે તે દર્શાવે છે કે, આટલે વર્ષે પણ તે સંબંધ છે ને તેવો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy