SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પુરાણો અને હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત :લેખક: શ્રી. પ્રહૂલાદ ચન્દ્રશેખર દિવાન હિન્દના ઇતિહાસના સંશોધનમાં જૈન ગ્રન્થની ઉપગિતા પ્રમુખ મહાશય, સન્નારીઓ અને સહશે! જે મહાનુભાવની જયન્તી નિમિત્ત, તેની તપશ્ચર્યાથી પાવન થયેલી અને તેના બુદ્ધિસૂર્યનાં રશ્મિઓના પ્રતાપે કરીને સમસ્ત હિન્દના સુન સ્ત્રીપુરુષોનું ધ્યાન ખેંચી રહેલી અને પવિત્ર સરસ્વતી નદીને કિનારે આવેલી આ પુણ્યભૂમિ ઉપર ગુજરાત અને ગુજરાતી ભાષામાં રસ લેતા વિદ્વાન અને કર્મયોગાનુજાનરત સજજને એકત્રિત થાય છે તે મહાન વ્યક્તિએ જેનધર્મના સિદ્ધાન્તના સ્પષ્ટીકરણ અને પ્રચારના શુભ કાર્યમાં અને પતિતપાવની સંસ્કૃત ભાષાની સમૃદ્ધિની વિવૃદ્ધિના કાર્યમાં જે મહાન સેવા કરી છે તે તરફ તે વિદ્વાન વક્તાઓએ આપનું ધ્યાન ખેંચ્યું છે. હું શ્રી. હેમચન્દ્રાચાર્યું કે એક બીજી વિશેષ જાતની સેવા એક મહાકાવ્ય દ્વારા કરી છે તે તરફ અંગુલિનિર્દેશ કરવા માટે ઉપસ્થિત થયો છું. સન્નારીઓ અને સદ્દગૃહસ્થ ! વર્તમાન પરિસ્થિતિનો તપતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરીને પિતાના ભૈતિક જીવનનું ઘડતર કરવાની શક્તિ પ્રત્યેક મનુષ્યવ્યક્તિમાં થોડે ઘણે અંશે હોય છે જ, પરંતુ તેથી સમાજને કાંઈ લાભ થતું નથી. ઊલટું તેવી સામાન્ય વ્યક્તિ રાગદ્વેષથી પ્રેરિત થઈને પિતાને જ ઈષ્ટાર્થ સાધી લેવાની ઉત્કંઠાના મદમાં કેટલીક વખતે સમાજને હાનિ કરવામાં આચકા ખાતી નથી, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy