SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૨ ગુજરાતી સાહિત્ય પરિષદ સમાજવ્યવસ્થા, અને લેકવ્યવહાર સમજવા સિવાય બીજો કોઈપણ આધારભૂત ગ્રંથ હજુ સુધી મળી આવ્યો નથી. આ ઉપરાંત સિદ્ધનૃપનું હૃદય વાંચનાર આ મહાનુભાવે તેમાં એવી ખૂબી દાખલ કરી છે, જેથી આ ગ્રંથ તે રાજાને નિત્ય પ્રેમ ઉપજાવતા હતા. કારણ રાજેન્દ્ર સિદ્ધરાજ ચુસ્ત સનાતની હતો, તેની વિદ્વત્સભામાં અનેક સનાતની પંડિતો રહેતા હતા, પણ તે બધાનાં મેઢાં અવાક બનાવવા, આ મહાન જૈનાચાર્યો જે અજબ યુક્તિ વાપરી છે તેથી રાજા કે તેમના કેઈ પંડિત તેના વિરૂદ્ધ અભિપ્રાય આપવા ઉઘુક્ત થાય નહીં. આ ભવ્ય યોજના તે વૈદિક સાહિત્યમાંથી રૂપ મુકવાની. તેમણે અનેક ઠેકાણે સંહિતાઓ, બ્રાહ્મણો, આરણ્યકે, ઉપનિષ, શ્રોતસૂત્ર અને ગૃહ્યસૂત્રોમાંથી ઉપમાઓ રજૂ કરી, આ ગ્રંથને અલંકૃત કર્યો છે. આથી જેનેતર વિદ્વાને તેને અપ્રમાણિત કરી તેનો વિરોધ કરી શકે જ નહીં. એક પ્રભાવક જૈનાચાર્યને હાથે લખાયેલ ગ્રંથ જૈન સમાજમાં અવશ્ય સ્વીકૃત થાય, પણ જેનેતો તેને સન્માને, એક મહાન ગ્રંથ તરીકે પિછાને, એવું અજબ વસ્તુસજન મૂકી આચાર્યશ્રીએ તે ગ્રંથને સારાયે ગુર્જર સમાજમાં, અને ગુજરેશ્વરના હૃદયમાં સન્માનિત બનાવ્યો છે. આથી તેમની વિદ્વત્તા, વ્યવહારકુશળતા, અને વૈદિક સાહિત્યની અપૂર્વ જ્ઞાનશક્તિ પુરવાર થાય છે. તેમની વિદ્વત્તા અને વ્યવહારકૌશલ્યની અહીં ચર્ચા કરવા જતાં, આ નિબંધનું કલેવર વધી જાય તેમ છે. વળી વધુ સમય અને સંશોધને માગી લે છે. એટલે તે વસ્તુને સ્પર્શ નહીં કરતાં વૈદિક સાહિત્યનું તેમણે કેટલું સૂક્ષ્મ દષ્ટિએ અનુશીલન કર્યું હતું, તેની કંઈક પ્રતરણ અહીં કરવામાં આવી છે. શ્રોત ય અને તેનું સાહિત્ય અણહિલપુરનું વર્ણન કરતાં ત્યાં સદાકાળ મહામારી વગેરે ઉપદ્રવની શાંતિ હતી, અર્થાત પ્રજામાં રેગાદિકનો ભય ન હતું, અને જનસમાજ લક્ષ્મીવાન હોવાથી સુખી હતો, તે દર્શાવવા એક રૂપકમાં જણાવ્યું છે કે “શાંતિને પ્રવર્તાવનારી, વૌષ, શ્રૌષટ, આવી વાણી અત્ર નિરંતર સુધી વરસાવે છે. જલશાયીદેવ જલમાં શયન કરતા નથી, પણ લક્ષ્મીને અત્ર વસેલી જોઈ તેઓ પણ અહીં જ આવી રહ્યા છે. ૧. “દયાશ્રય . સર્ગ ૧, લો. ૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy