SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ २७३ પ્રેમના કારણે જ, મુનીશ્વર હેમચંદ્ર પિતે રચેલ સંત દયાશ્રય” કાવ્યમાં, વૈદિક સાહિત્યમાંથી ઢગલાબંધ ઉપમાઓ, શ્રૌતય, ગૃહકર્મો, વૈદિક ધર્મગ્રંથો, સૂત્ર અને પૌરાણિક આખ્યાયિકાઓને લગતી રજૂ કરી છે. આવા અનેક મહાન ગુણો વડે મુનિરાજ હેમચંદ્ર ગુર્જર સમ્રાટ સિદ્ધરાજનું હૃદય જીતી લીધું હતું. યાશ્રય' એ એક કાવ્યગ્રંથ છે. પાણિનિનાં સૂત્રોને ગ્રથિત કરી જેમ “ભટ્ટિકાવ્ય'નું સર્જન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે ગુર્જરરાષ્ટ્રના અપર પાણિનિ હેમચંદ્રસૂરિએ રચેલ સિદ્ધહેમ વ્યાકરણનાં સૂત્રને સજી, “ઠયાશ્રય”નું અપૂર્વ સર્જન કર્યું છે. તેમાં એક વ્યાકરણને લગતે, અને બીજે મૂળરાજથી કુમારપાળ સુધીના સૈલુકોને આલંકારિક ભાષામાં વિસ્તૃત ઇતિહાસ રજૂ કરતે, એમ બે અ સમાયેલા છે જેના કારણે જ તેનું “કંથાશ્રય” નામ ચરિતાર્થ થયું છે. આ પ્રમાણભૂત અને સિલસિલાબંધ ગુજરાતનો ઇતિહાસ આ ગ્રંથ સિવાય બીજા કોઈપણ ગ્રંથમાં ચીતરાથો નથી. તેની વધુ પ્રામાણિકતા તે એક સંસ્કારી વિદ્વાનના હાથે રચા હેવાથી છે, તેટલું જ નહીં પણ સિદ્ધરાજ અને કુમારપાળના સમકાલમાં તે રચાયે હોવાથી, ખૂબ મહત્ત્વ ધરાવે છે. સિદ્ધરાજની પ્રસન્નતા મેળવવા, અને સૈલુકોનો ઇતિહાસ સાચવી રાખવા માટે મહર્ષિ હેમચંદ્ર પિતાની અપૂર્વ જ્ઞાનશક્તિ ખચી આ ગ્રંથનું આલેખન કર્યું છે. છતાં તેમાં કોઈપણ ઠેકાણે કેવળ શબ્દાડંબર, કે અલંકારપ્રચુર ભાષા વાપરી, કઠિન ગ્રંથ તરીકે તેને જાહેર કરવાને મિથ્યાદંભ જોવામાં આવતું નથી વ્યાકરણનાં સૂત્રોને લઈને તે સાધારણ સંસ્કૃત જાણનારને સમજવામાં દુષ્કર લાગે છે, પણ તેથી ઈરાદાપૂર્વક તે ગ્રંથને કિલષ્ટ બનાવી, ન્યાય અને તર્કના કુટ ગ્રંથે જે વિકસમાજમાં જાહેર કરવા ગ્રંયકારને આશય જણાતું નથી. તેમાં એટલી બધી ચોકસાઈથી પ્રમાણિત હકીકત મૂકવા પ્રયત્ન કર્યો છે, જેથી તેમનું એતિહાસિક જ્ઞાન, અને વ્યવહારકૌશલ્ય ઘણું જ ઊંડું હતું એમ ચોક્કસ લાગે છે. તેમાંયે સમાજના વયવહારો, રાજકીય વાતાવરણ, તેલ, માપ, વાણિજ્ય, તત્કાલીન રાજકીય ચલણ, વગેરેને લગતા સ્પષ્ટ અસ્પષ્ટ જે સૂચને કર્યા છે, તેથી આ ગ્રંથનું મહત્વ અનેકણું વધી જાય છે. બારમા કે તેરમા સૈકાની હૈ.સા.સ.-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy