SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૫૭ - તેના આધારે જ ઇતિહાસ ઘડે છે. તેઓના સાહિત્યને બાદ કરીએ તે ગુજરાત પાસે તત્કાલીન ઇતિહાસ જેવું કશુંય રહેતું નથી. જૈન ગ્રન્થકારે અસત્ય કથનથી જેટલા અળગા રહે છે, તેટલા જ અન્ય વિદ્વાનોની ટીકાઓથી પણ સાવચેત રહે છે. કુમારપાળ જૈન રાજા હતો માટે જ તેઓએ બીજા સોલંકી રાજાઓને નહીં કિન્તુ કુમારપાળ રાજાને વિવિધ રૂપે કવ્યો છે, અને તેના જીવનની બારીકમાં બારીક દરેક વસ્તુઓનું યથાર્થ નિદર્શન કરાવ્યું છે. - કુમારપાળના ધાર્મિક જીવન પર પ્રકાશ પાડતા આજના સાક્ષરોના જે ફકરાઓ મળે છે તેમાં પણ તેને જૈન તરીકે જાહેર કરવામાં આવ્યો છે – રા. બા. ગોવિદભાઈ હાથીભાઈ દેશાઈ લખે છે, “દેવળને પાયો નખાવ્યો ત્યારે હેમાચાર્યના બોધથી રાજાએ એક વ્રત લીધું કે, કેવળ બંધાવવાનું કામ પૂરું થઈ રહે ત્યાં સુધી સ્ત્રીસંગ કર નહિ અને મઘ માંસ ખાવું નહિ. બે વર્ષે દેવળ થયું એટલે વ્રત (બધા) છોડાવવાની સૂરિને વિનતિ કરી. સૂરિ બોલ્યા, મંદિર તે થયું, પણ શિવજીની યાત્રા થયે વ્રત મૂકવું જોઈએ. રાજાએ આ વાત અંગીકાર કરી અને સોમનાથની યાત્રાએ નીકળ્યો.” (“ગુજરાતને પ્રાચીન ઇતિહાસ,” પૃ. ૧૯૪). આ પ્રમાણે કુમારપાલ સાથે સોમેશ્વરની યાત્રા કર્યા પછી હેમાચાર્યની સત્તા રાજ ઉપર વધતી ગઈ. તેની શાન્ત પ્રકૃતિ અને તેના મનનું મોટાપણું જોઈ રાજાની પ્રીતિ તેના પર વધતી ગઈ. હેમાચાર્યને હલકે પાડવા બ્રાહ્મણોએ ઘણી ઘણી તજવીજ કરી, પરંતુ તેમનું કંઈ ફાવ્યું નહિ. હેમાચાર્યનાં બધથી રાજાએ પિતાના દેવઘરમાં બ્રાહ્મણના દેવેની મૂર્તિઓ સાથે શાન્તિનાથ તીર્થકરની મૂર્તિ પણું રાખવા માંડી અને આખરે હેમાચાર્યના અપાસરામાં જઈ તથા જૈન સાધુઓને અગણિત દાન આપી રાજાએ ખુલી રીતે જૈનધર્મ અંગીકાર કર્યો. પછી પોતાના દેવઘરમાંથી બ્રાહ્મણના ધર્મની મૂતિઓ તેણે કાઢી નાંખી, અને માત્ર જૈનધર્મની મૂર્તિઓ રાખી. આટલે દરજજે ગયા પછી હેમાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણોને રાજા સજા પણ કરવા લાગ્યો.” (“ગુ. મા. ઇ” પૃ. ૨૯૯-૨૦૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy