SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ગુજરાતી સાહિત્ય પરિષદ કુમારપાળે જૈન દેવળે પાછળ ખર્ચ કરે છે. “સા લવસહિકા, કરંબકવિહાર, મુશકવિહાર, ઝલિકાવિહાર આ સિવાય બીજા ૧૪૪૪ જૈન દેવળ કુમારે બંધાવ્યાની દંતકથા ચાલે છે.” (પૃ ૧૯૬). હેમાચાર્યના બેધથી રાજાએ માંસમદિરાને ત્યાગ કર્યો એટલું જ નહિ, પણ લેકમાં સાદ પડાવી આજ્ઞા કરી કે કેઈએ જીવહિંસા કરવી નહિ. તેણે માછી, શિકારી, પારધી, વગેરે લોકોને પિતાને જીવહિંસાને ધધે છોડી બીજા ધંધા કરવાની ફરજ પાડી.” (પૃ. ૨૦૦ ). હેમાચાર્યના બેધથી કુમારપાળે નવારસી મિલકત સરકારમાં લેવાનું બંધ કર્યું.” (“ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૦૧). ૨. છે. કેશવલાલ હિમ્મતરામ કામદાર જણાવે છે કે “વીસ સર્ગ ('દયાશ્રય”) કાવ્યને છેલ્લે સર્ગ છે. તેમાં કુમારપાળ અમારિ ઘણું પ્રવર્તાવે છે. નિર્વશ પ્રજાજનના ધનને ત્યાગ કરે છે. કાશીક્ષેત્રના કેશરનાથ મંદિરને પુનરુદ્ધાર કરાવે છે. એમનાથના મંદિરને ઉદ્ધાર કરાવે છે. પાટણમાં પાર્શ્વનાથના મંદિરને પ્રાસાદ બંધાવે તે કમારપાલેશ્વરદેવનું (શંકર) મંદિર કરે છે, અને દેવપત્તનમાં પાર્શ્વ ચૈત્ય કરે છે. આ સર્ગ માં કુમારપાળ જૈન થાય છે એમ જણાય છે. કારણ કે હેમચન્દ્રસૂરિ ૯૮મે લેક નીચે પ્રમાણે રચી ગયા છે – युष्मान् भो अभिवादये भव जयी भो एधि जैनश्च भो, युष्मानप्यभिवादये सुकृतवान् भूयः कुमारो भव । ૧. કુમાયુનના ખશરાજાએ કેદારેશ્વરનું દેવળ પડી જવા દીધું છે, એવી ખબર જાણું કેદારેશ્વરનું દેવળ પણ તેણે દુરસ્ત કરાવ્યું (‘ગુ. મા. ઇ.” પૃ. ૧૯૬). આ મંદિરને જીર્ણોદ્ધાર કયારે થયે તેની સાલવારી નક્કી કરવી બાકી છે. એ ભૂલવું ન જોઈએ કે સમ્રાટ સંપ્રતિ, કલિંગરાજ ખારવેલ, ગુજરેશ્વર કુમારપાળ, જગડુશા મંત્રી, વસ્તુપાળ, વગેરે વગેરે જૈન રાજાઓ અને મંત્રીઓ પરધર્મસહિષણુ હતા, સમ્રાટ સ પ્રતિ અને કુમારપાળે પ્રજનું પુત્રની સમાન પાલન કર્યું છે. દાનશાળાઓ ખાલી છે, મંત્રી વસ્તુપાળે તો મસીદ પણ બનાવી આપી છે. જગડુશાહે દુકાળમાં સારા ભારતવર્ષને કેાઈ પણ જાતના ભેદભાવ વિના મદદ કરી છે. આજે પણ જૈનો તથા અને એક બીજાનાં ધાર્મિક કાર્યોમાં સહયોગ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy