SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ર૫૫ કરાવ્યું. અને તેની સફળતા માટે શ્રી હેમચંદ્રસૂરિ પાસે માંસાહારને ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યને સ્વીકાર કર્યો (સં. ૧૨૦ ૬-૮). ત્યારપછી સાત કુવ્યસને એટલે હિંસા, માંસ, જુગાર, શ્યાગમન. પરસ્ત્રીસેવન, મદિરા અને ઉઠાવગીરીને હમેશને માટે ત્યાગ કર્યો. પિતાના રાજ્યમાં અમારિ પટલ વગડા, જુગાર સર્વથા બંધ કરાવ્યો તથા અપુત્રિયાનું ધન રાજા લો એવો કાયદે હતા તે રદ કર્યો અને અપુત્રિયાનું ધન લેવાનું બંધ કર્યું (સં. ૧૨૦૮ થી ૧૨૧૨). સેમિનાથ પાટણમાં સોમેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો (સં. ૨૦૬ થી ૧૨૧૧) અને પાર્શ્વનાથનું દહેરાસર પણ કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિરે ૧ આ સાલવારી તે સમયની ભિન્ન ભિન્ન ઘટનાઓના વર્ષે મેળવીને તૈયાર કરવામાં આવી છે. શિલાલેખેથી પુરવાર થાય છે કે સં. ૧૨૦૮ લગભગમાં મહારાજા કુમારપાળે અમારિ રૂઢિ પ્રવર્તાવી હતી એટલે તે અર સામાં તેણે સાત કુવ્યસનોનો ત્યાગ કર્યો હતો. કુવ્યસનના ત્યાગમાં માંસત્યાગની પ્રતિજ્ઞા આવી જ જાય છે. કુમારપાળે સેમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધારને અંગે બે માસ સુધી માંસ છોડયું છે, એ ભાગ આ સાત વ્યસનની પ્રતિજ્ઞા પહેલાના છે એ હિસાબે આ માંસાહારની પ્રતિજ્ઞાની સાલ સં. ૧૨૦૮ પહેલાં આવશે, અને ત્યારપછી સામેશ્વર મંદિરની તે યાત્રાની સાલ સં. ૧૨૦૧-૧૧ આવશે. “પ્રબંધચિંતામણિ”માં તે ગુ. કુમારપાલે સેમેશ્વરના મંદિરમાં જ માસમદિરાનો ત્યાગ કરવાને ઉલ્લેખ છે. એટલે કે આ પ્રસંગ પછી જ સાત વ્યસનો ત્યાગ કર્યો છે. શ્રી હેમચંદ્રસૂરિ પહેલી વાર સિદ્ધરાજ સાથે તેમનાય જાય છે, બીજી વારમાં કુમારપાળ સોમનાથ સીધો જાય છે, અને આ શ્રી હેમચંદ્રસૂરિ શત્રુજય થઇને સોમનાથ પધારે છે. આંબડે ઉદ્ધાર કરેલ અજય પર આદીશ્વરના મંદિરની આજ અરસામાં પ્રતિષ્ઠા થાય છે. અને આચાર્યશ્રી તથા કુમારપાળની, ગ્રન્યપ્રસિદ્ધ શત્રુંજય તથા ગિરનારની યાત્રા સં. ૧રર૩ના અરસામાં મનાય છે. આ બધી વાતને ધ્યાનમાં લેતાં સેમિનાથના મંદિરને માટે મેં જે ઉપર સાલ આપી છે તે વાજબી લાગે છે. તે સમયનો શિલાલેખ મળતો નથી, માટે વિદ્યાનેએ આ વિશેષમાં ઊહાપોહ કરવાની જરૂર છે. ૨ આ કાયદાને અંગે દત્તક લેવાને દેશાચાર હતો. આ કાયદે રદ થવાથી ગુજરાતમાં દત્તક લેવાનું ઓછું થઈ ગયું છે. શ્રી. હેમચંદ્રસૂરિના ઉપદેશથી કુમારપાળે અપુત્રનું ધન લેવાનું બંધ કર્યું અને જગદ્દગુરુ શ્રી હીરવિજયસરિના ઉપદેશથી મંગલ સમ્રા અકબરે જજિયા વેરે માફ કર્યો. ગુજરાતના રાજનૈતિક ઇતિહાસની આ મહરવવાળી ઘટનાઓ છે. હૈ.સા.સ.-૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy