SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૯૨૫ની સાલમાં પરિષદને રજિસ્ટર કરવામાં આવી. પરિષદની પ્રવૃત્તિઓનું સંચાલન મધ્યસ્થ સભા કરે છે અને પરિષદ પાસે આવેલા ફંડની વ્યવસ્થા માટે પાંચ સ્ટીઓ નીમવામાં આવ્યા છે. પરિષદનું ફંડ આ ટ્રસ્ટીઓના નામ પર છે. ટ્રસ્ટીઓનાં નામ શ્રી. કનૈયાલાલ મુનશી, દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, આચાર્ય ડો. આનંદશંકર ધ્રુવ, ન્યાયમૂર્તિ શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા અને સર ચીનુભાઈ પરિષદના મંત્રી તરીકે શ્રી. મનહરરામ મહેતા, શ્રી. ગોકુલદાસ રાયચુરા અને શ્રી અંબાલાલ જાની છે. ખજાનચી તરીકે શ્રી. મોતીચંદ ગિ. કાપડીઆ અને શ્રી. મણિલાલ ડાહ્યાભાઈનાણાવટી છે. સ્વ. રણજિતરામે સ્થાપેલી સંસ્થા વધતી વધતી એવી કક્ષાએ પહોંચી છે કે, જેમાં તમામ ગુજરાતીઓ રાજકીય ને ધાર્મિક ભેદ છોડી ગુજરાતી તરીકે ભેગા મળી શકે; ગુજરાતના સાહિત્યરસિક એમાં સરસતાની લહાણ કરી શકે; ગુજરાતી વિદ્વાન ને કલાકાર આદર્શો અને ભાવનાની આપ-લે કરી શકે; ગુજરાતનું જીવન-સાહિત્ય, નાટક, નૃત્ય, સંગીત ને કલાદ્વારા સર્વાગ સુંદર બનાવવાના પ્રયત્નો પરિષદ દ્વારા થઈ શકે અને ગુજરાત ને મહાગુજરાતના વસનારાઓને એની દ્વારા સામુદાયિક અસ્મિતાની સિદ્ધિ સાંપડી શકે. ગુજરાતને એક અને અવિભક્ત કરવાનું સ્વમ સિદ્ધ કરવું હેય અને પરિષદદ્વારા ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને અસ્મિતાની ગંગા ઘેર ઘેર વહેતી કરવી હોય, તો ગુજરાત અને મહાગુજરાતના વસનારાઓએ પરિષદને સંપૂર્ણ સહકાર આપવો જોઈશે. દરેક ગુજરાતી પાસે પરિષદ આટલી આશા જરૂર રાખી શકે. સાહિત્ય પરિષદ કાર્યાલય ૮૦, એસ્કેનેડ રોડ, મુંબાઈ નં. 1. મનહરરામ મહેતા ગોકુલદાસ રાયચુરા અંબાલાલ જાની મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy