SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ આ પછી સત્રને અંગે કેટલીક તૈયારીઓને ધ્યાનમાં લઈ ૧૯૩૮ના નાતાલમાં સત્ર ન ભરાઈ શકહ્યું. પછી મધ્યસ્થ સભાની તા. ૨૨-૧-૧૯૩૯ ની બેઠકના ઠરાવ છઠ્ઠા અનુસાર તે ૧૯૩૯ ના ઈસ્ટરના તહેવારોમાં ઊજવવાનો નિર્ણય થયા બાદ નીચેની આમંત્રણપત્રિકા કાઢવામાં આવી હતી : ગુજરાતી સાહિત્ય પરિષદ પાટણમાં ઊજવવામાં આવનાર “શ્રી. હૈમ સારસ્વત સત્ર આર્યાવર્તમાં ગુજરાતને વિદ્વત્તામાં અગ્રસ્થાન અપાવનાર ગુજરાતના સાહિત્યસ્વામીઓમાં શિરોમણિ કલિકાળસર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રી. હેમચંદ્રાચાર્યે ગુજરાતની અસ્મિતાનું પ્રથમ દર્શન કર્યું. આ વિદ્યાનિધિનું નામ અને સાહિત્યપ્રવૃત્તિનાં સ્મરણ સતેજ રાખે તે જ ગુજરાતી સાહિત્ય પરિષદ એ મહાન જ્યોતિર્ધરના ઋણમાંથી મુક્ત થઈ શકે એમ છે. આ હેતુથી પરિષદે એમના કાર્યક્ષેત્રના કેન્દ્ર પાટણમાં શ્રી. હૈમ સારસ્વત સત્રની એજના કરી છે. ત્યાં સકારમંડળના પ્રમુખ શ્રી. કેશવલાલ અમરચંદ નગરશેઠ છે અને સત્રનું પ્રમુખપદ લેવા માન્યવર શ્રીયુત કનૈયાલાલ મુનશીએ કબૂલ કરવાની કૃપા કરી છે. સત્રને કાર્યક્રમ નીચે આપ્યો છે. ગુજરાતના સાહિત્યરસિકાને માટે આ પ્રસંગ અને ખે છે અને તેથી અમે ગુજરાતના સર્વ સાહિત્યરસિકેને આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ કે, તેઓએ ગુજરાતની આ અદ્ભુત મૂર્તિને પોતાના તરફથી અર્થ અર્પવા હાજર રહેવું. કાર્યક્રમ તા. ૭-૪-૩૮ શુક્રવાર સવારના ૧૦૬૦ પ્રમુખશ્રીની પધરામણી, સ્ટેશન ઉપર સત્કાર અને સરઘસ. તા. ૮-૪-૩૯ શનિવાર સવારના ૮-૦ શ્રી. હૈમ સારસ્વત સત્ર” સત્કારમંડળના પ્રમુખ નું ભાષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy