SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૧૩ આ બનાવને કલ્પિત માનવા માટે છે. શાસ્ત્રીજી એવું કારણ આપે છે કે આ પ્રસંગને અન્ય કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી. પરંતુ એક જ ગ્રંથમાં જણાવેલી હકીક્તને વિશ્વસનીય ન ગણવી જોઈએ એ સિદ્ધાન્ત જે માન્ય કરીએ તે નીચેના પ્રસંગોને શું કલ્પિત માનીશું ? ભીમની સિમ્પ ઉપરની ચઢાઈ માત્ર “યાશ્રય”માં છે, કર્ણની સિલ્પ ઉપરની ચઢાઈને ઉલ્લેખ માત્ર “કર્ણસુન્દરી” નાટિકામાં છે, તથા ફૂલચંદ્રનું અણહિલવાડ ઉપરનું આક્રમણ કર્ણને આશાભીલને પરાજય અને કર્ણાવતી રાજધાનીની સ્થાપના, મદનપાલને જુલમ અને અજયપાલનું ખૂનઃ એ પ્રસંગે માત્ર ‘પ્રબન્ધચિન્તામણિમાં છે. આ બધા પ્રસંગેનો ઈતિહાસમાં આદર થયો છે, તો મૂળરાજના સોરઠવિજયને કલ્પિત શાથી માનવો ? ૨. શાસ્ત્રીજી ચામુંડને લાટવિજય પણ કલ્પિત માને છે, કારણ કે એ પ્રદેશ સં. ૧૦૨૮ સુધી રાષ્ટ્રકટોને તાબે હતા. પરંતુ એ વર્ષ પછી ચામુંડે લાટ ઉપર આક્રમણ કેમ ન કર્યું હોય? કર્ણનું નવસારીનું તામ્રપત્ર પણ ચેલુકોનું ત્યાં સુધીનું અધિપત્ય સૂચવે છે. દુર્લભ, ભીમ અથવા કણે લાટ પ્રદેશ ઉપર આક્રમણ કર્યાનું કેઈ ગ્રંથમાં સૂચન નથી. તે ચામુંડનો લાટવિજય કપિત કેમ ઠેરવી શકાય? આચાર્યશ્રીએ કેઈ નાના પ્રસંગને મોટું રૂપ આપ્યાનું પણ જણાતું નથી. વલ્લભને માળવા ઉપર ચઢાઈ કરવા ગએલો વર્ણવ્યો છે, પણ તે રોગગ્રસ્ત થવાથી પાછો આવ્યો હતો એમ થાશ્રય”માં સ્પષ્ટ ઉલ્લેખ છે. હવે, જે આ પ્રસંગને મહાન વિજયનું રૂપ આપ્યું હોત–માલવાવિય કરીને તે પાછો આવ્યો એમ લખ્યું હોય તે તેમ સહેલાઈથી કરી શકાત, પણ તેમ ન કરતાં આચાર્યશ્રીએ જે સત્ય હકીકત લખી છે, તે તેમની સત્યપ્રિયતા દર્શાવે છે. દયાશ્રય'માં આવતાં ભેગેલિક નામે કાલ્પનિક હોય તેમ ઘણાને લાગે છે, પરંતુ બારીક તપાસ કરતાં ઘણું ખરાં નામ સત્ય જણાય છે. કેટલાંક દેશ્ય નામને સંસ્કૃત રૂપ આપવામાં આવ્યાં છે, જ્યારે કેટલાંક નામે પાછળથી બદલાઈ ગયા હોવાનો સંભવ છે. જમ્મુમાલી નદીનું નામ બદલાઈને પાછળથી ભાદર થયું જણાય છે સમુદ્રમબેને સેકન્નર પર્વત (સર્ગ ૪, કલેક ૪૯) તે એડનની નજીક આવેલે સોકેટ્રા બેટ છે, શિવશાણુ ( ૮, ૫૪) તે માલોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy