SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ગુજરાતી સાહિત્ય પરિષદ કઈ તીર્થંકરનું ચરિત્ર પસંદ ન કરી શકાત? ઐતિહાસિક વિષય પસંદ કરવામાં આચાર્યશ્રીનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ગૌરવાન્વિત ઇતિહાસનું આલેખન કરવાનું હતું એમ હું ધારું છું અને એ ઉદ્દેશ તેમણે આરંભના બેત્રણ લેકમાં વ્યક્ત પણ કર્યો છે. દ્વયાશ્રય” કાવ્યની ઈતિહાસમાં ગણના ન કરવાના કારણે માં તેમાં આવતા ચમત્કારે જણાવવામાં આવે છે. દાખલા તરીકે ઉજજયિનીની ગિવીઓ, કનકચૂડ નાગ અને બર્બર રાક્ષસના પ્રસંગે, વગેરે. પરન્તુ એ પ્રસંગે અમાનુષિક વ્યક્તિઓના છે–સિદ્ધરાજે કેાઈ ચમત્કાર બતાવ્યાનું જણાવેલું નથી, તેથી ઇતિહાસને સહન કરવાનું નથી. મહાકાવ્યની રચનામાં અદ્દભુત રસની નિપત્તિ માટે એ પ્રસંગે આલેખાએલા છે. આ ચમત્કારો કાપનિક છે એમ આપોઆપ જણાઈ આવે છે. તેનાથી ચિતિહાસિક તને કંઈ અડચણ નડતી નથી. દ્વયાશ્રયમાં ચાલુકાના બધા અતિહાસિક પ્રસંગે લીધા નથી. તેનાં બે કારણે છે. તેમાં એક એ કે મહાકાવ્યના ચોકઠામાં ઇતિહાસ ઢાળવાનો હોવાથી બધા પ્રસંગે લેવામાં આવે તે ગ્રંથને વિસ્તાર વધી જાય અને બીજું કારણ એ કે આ કાવ્ય જે રાજાના આશ્રયે રચવામાં આવ્યું હતું, તેના ચિત્તને અપ્રસન્ન કરે તેવા પ્રસંગોને સ્પર્શ કરવાથી દૂર રહેવું. આ જ કારણથી ચાલુક્ય રાજાઓના એક પણ પરાજયને તેમાં નિર્દેશ નથી. મૂળરાજને શાકંભરીના વિગ્રહરાજના હાથે થએલે પરાજય, ચામુંડ અને ભીમના માળવાના પરાજય, નાડેલ અને શાકંભરીના રાજાઓના હાથે થએલા ભીમ અને કર્ણના પરાભ, મહમ્મદ ગજનવીની સોમનાથ ઉપરની ચઢાઈ વગેરે પ્રસગો આ કારણથી ત્યજી દેવામાં આવ્યા છે. આ પ્રમાણે ચાલુક્યોના પરાજ વિષેનું આચાર્યશ્રીનું મન સમજી શકાય એમ છે, પરંતુ તેમણે કેટલાક વિજય સંબંધી પણ મૌન સેવ્યું છે, જે સમજવું કઠણ છે. તેમણે મૂળરાજને આબુના ધરણવરાહ ઉપરનો વિજ્ય વર્ણવ્યો નથી, જે કે તેના સેરઠવિજયમાં આબુને રાજા તેની સાથે યુદ્ધમાં સામેલ હતા એમ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સિદ્ધરાજના સોરઠવિજય વિષે યાશ્રયમાં એક અક્ષર પણ લખવામાં આવ્યો નથી, જે કે વ્યાકરણમાં તેને ઇસારો છે. આ રિહાજના પરાક્રમને મહત્વને પ્રસંગ કેમ છો દેવામાં આવ્યો હશે તેનું કારણ હું તે રાણીને પ્રસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy