SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હૈમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૨૦૯ કલાથી એકાએક સમૃદ્ધિવસ્તુ બનાવી દીધું. શું આર્યાવર્તમાં કે શું જગતમાં આટલા વિવિધ પ્રકારના ગ્રંથો લખનાર ગ્રંથકાર હજી સુધી જોવામાં આવ્યો નથી. એક બે વિષયમાં ગ્રંથો લખનારનાં દૃષ્ટાન્ત મળી શકશે, પણ આટલા જુદા જુદા વિષયો ઉપર ગ્રંથો લખનાર એક જ માણસ મળવો મુશ્કેલ છે. શ્રી હેમચંદ્રાચાર્યની સાહિત્યસેવાઓ વિવિધ સ્વરૂપે વિસ્તરી છે, પરંતુ તેમાં તેમની ઇતિહાસ સેવા અપૂર્વ છે. તેમના પહેલાં સાહિત્યની અન્ય શાખાઓમાં કંઈ કંઈ પ્રયત્નો થયા હતા, પરંતુ ઈતિહાસલેખનની શાખામાં કેઈ જાતને પ્રયત્ન થયો નહોતો. આર્યાવર્તના અન્ય પ્રાંતોની પણ તે વખતે શી સ્થિતિ હતી? હર્ષચરિત' નવસાહસાચરિત,” “વિક્રમાંકદેવચરિત,” “ૌડવો' એ વ્યકિતઓનાં જીવનચરિત્રો હતાં, કંઈ રાજવંશોના ઇતિહાસ નહતા. “પૃથ્વીરાજવિજય’ કાવ્યમાં ચૌહાણેને ઈતિહાસ છે, પણ તેની રચના દ્વયાશ્ર” પછી થયેલી છે. “રાજતરંગિણું” ગ્રંથ પણ પૂરે થ દ્વયાશ્રય પછી. “મંજુશ્રીમૂલકલ્પ” તે હજી હમણું હાથ લાગે છે અને તેની રચના કયારે થઈ એ નિશ્ચિત નથી. આથી શ્રી હેમચંદ્રાચાર્યનું ઇતિહાસકાર તરીકેનું મહત્વ ભારતવ્યાપી છે. ગુજરાતમાં આનર્તના ક્ષત્રિય, વલભીના મૈત્રકે અને લાટના રાષ્ટ્રકૂટ વિષે કંઈપણ નેધ કઈ એ લખી નહોતો, એટલું જ નહિ પણ ચાવડાઓને ઈતિહાસ પણ માત્ર મલિક આખ્યાયિકાઓમાં થોડોઘણે જળવાઈ રહ્યો હતે. આથી શ્રી હેમચંદ્રાચાર્યે ચાલુકયવંશને ઇતિહાસ રચીને ગુજરાતનું ગૈરવ જાળવી રાખવાને જે પ્રયત્ન કર્યો હતો તે ખરેખર અપૂર્વ હતો. આચાર્યશ્રીએ ચાલુક્યો ઇતિહાસ બે ગ્રંથમાં લખે છે – સંસ્કૃત “ઠયાશ્રય” મહાકાવ્યમાં અને પ્રાકૃત કુમારપાલચરિત માં. એ ઉપરાન્ત 'ત્રિશક્ટિશલાકાપુરુષયરિતીના મહાવીર ચરિતમાં કુમારપાલ સંબંધી કેટલીક બેંધ કરેલી છે. કદાચ એમ કહેવામાં આવે કે મહાકાવ્યરૂપે રચાએલો ઈતિહાસ તે ઈતિહાસ સંજ્ઞાને પાત્ર નથી તે પૂછવાનું કે ઇતિહાસની આધુનિક વ્યાખ્યા પ્રમાણેના ગ્રંથે પ્રાચીન કાળમાં કેટલા લખાયા છે? “વાશ્રય” કાવ્ય રચવાને ઉદે શ માત્ર વ્યાકરણનાં રૂપે આપવાનો કે મહાકાવ્યની રચના કરવાને જ નહોતે. જે એમ જ હેત તે એ ઉદેશના વાહન તરીકે અતિહાસિક વિષય જ શા માટે પસંદ કરવામાં આવ્યો. તેને માટે પૌરાણિક કથા અથવા તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy