SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રાચાર્ય : ઈતિહાસકાર : લેખક : રામલાલ ચુનીલાલ મોદી શ્રી હેમચંદ્રાચાર્ય સમર્થ જૈન સાહિત્યકાર હતા, પરંતુ તેમની સાહિત્યપ્રવૃત્તિ માત્ર જૈન ધર્મના ગ્રંથો જ રચવામાં બંધાઈ રહી નહતી. તેઓએ ગુજરાતને ગૌરવવતુ કરવાને સંસ્કૃત સાહિત્યની વિધવિધ શાખાઓમાં પાંડિત્યપૂર્ણ ગ્રંથ રચેલા છે અને તેથી તેઓ યોગ્ય રીતે જ કાલિકાલસર્વજ્ઞ કહેવાયા છે. કાવ્યકાર, આલંકારિક, શબ્દકોશપ્રણેતા, વૈયાકરણ, ભાષાશાસ્ત્રી, ચરિત્રકાર, દાર્શનિક, ધર્મશાસ્ત્રનિર્માતા, ઇતિહાસકાર, વગેરે તરીકે તેમણે કરેલી પ્રવૃત્તિઓનું અનેક રીતે અવલોકન થઈ શકે એમ છે. આ નિબંધમાં ઇતિહાસકાર તરીકે તેમની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવાને ઉદ્દેશ છે. શ્રી હેમચંદ્રાચાર્યનું ઈતિહાસલેખક તરીકેનું–અથવા તેમની કોઈ પણ પ્રવૃત્તિનું–-દર્શન કરતા પહેલાં તેમના જીવનનાં સીમાચિહ્નો આપણે પ્રથમ જોઈ જવાં ઘટે. તેમને જન્મ ધંધુકામાં વિ. સં. ૧૧૪પમાં થયો હતો. કેટલાકના મતે સં. ૧૧૫૦માં અને બીજાના મતે સં. ૧૧૫૪માં તેમને દીક્ષા આપવામાં આવી હતી. તેમને સૂરિપદ સં. ૧૧૬૬માં પ્રાપ્ત થયું હતું. અને સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની ઉમ્મરે તેઓ મોક્ષે ગયા હતા. તેમનો જીવનકાળ સિદ્ધરાજ (સં. ૧૧૫૦થી ૧૧૯૯) અને કુમારપાલ (સં. ૧૧૯૯થી ૧૨૨૯) એમ બંને સમર્થ ગુર્જર સમ્રાટોના રાજ્યકાળને આવરી લે છે. એ સમય ગુજરાતના ગૌરવને મધ્યાહૂનકાળ હતો. અને તેથી તેમની અને તેમના શિષ્યોની સાહિત્યપ્રવૃત્તિ વિસ્તૃત અને પ્રભાવશાળી બની હતી. શ્રી હેમચંદ્રાચાર્યની પહેલાંનું ગુજરાતનું સાહિત્ય દીનહીન દશામાં હતું. તેને તેમણે જાદુગરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy