SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ગુજરાતી સાહિત્ય પરિષદ એકચક્રી રાજ્ય આપ્યું. તેમને એકજાતીય સંસ્કૃતિ આપી, અને ઉત્તર અંબામાત, દક્ષિણે કુંતલેશ્વર મહાદેવ, પૂર્વે પાવાગઢ, પશ્ચિમે સમુદ્ર, એ નર્મદની “જય જય ગરવી ગૂજરાત” કવિતાની આગાહી સૂચવી. ગુજરાતના સુલતાનેએ એ સરહદોને સ્વીકારી અને અત્યારે તે સરહદે ભૂગોળ માટે માત્ર નહીં પણ સંસ્કૃતિ માટે પણ યોગ્ય ગણાય છે. સેલંકીઓ ગૂજરાતમાં પરદેશીઓ તરીકે આવ્યા. પણ તેઓ મૂળરાજના વખતથી ગૂજરાતી થઈ ગયા. તેમના યુગમાં આપણું સમાજની નવીન રચના થઈ, જે રચના હજુ ચાલે છે. ગૂર્જરે અને સોલંકીઓ પંજાબમાં, મધ્યદેશમાં, રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં પણ હતા અને હાલ છે. તેઓ પ્રથમ નાતજાત કે ગોત્ર વગરના હશે, કારણ કે અત્યારે તે અવટ કે બ્રાહ્મણ સિવાય બધા હિન્દુઓમાં જોવામાં આવે છે. બ્રાહ્મણોએ એ લોકોને આર્ય સંસ્કૃતિના બ્રાહ્મણેતર ત્રણ વર્ષોના સંસ્કારે આપ્યા અને કોઈને ક્ષાત્ર ધર્મમાં લીધા, કેઈને વૈશ્ય ધર્મમાં રોક્યા, તે કોઈને ધર્મમાં રાખ્યા. ગુજરાતના સોલંકીઓ ગૂજરાતી થયા અને તેમના ક્ષાત્રવૈશ્ય સમાજે ગૂજરાતને ક્ષાત્ર તેજ, વૈશ્ય કળા અને સમૃદ્ધિ આપ્યાં. આનર્ત, લાટ, સુરાષ્ટ્ર, તેમના વખતમાં ગૂર્જરરાષ્ટ્રનું નામ ધારતાં થયાં. એ સેલંકી રાજવંશે બહારથી અનેક સમાજોને ગુજરાતમાં વસાવ્યા અને તેમણે તે સમાજને પણ ગૂજરાતી બનાવ્યા. સેલંકીયુગમાં શ્રીમાળના લેકે મોટી મોટી સંખ્યામાં ગૂજરાતમાં ઊતરી પડવા, જો કે તે અગાઉ પણ શ્રીમાળીઓએ ગુજરાતને અવતરણભૂમિ બનાવી હતી તે ખરી, પણ તેમનું એ અવતરણ સોલંકીયુગમાં પરિપૂર્ણ થયું. એ શ્રીમાળી બ્રાહ્મણે અને વણિકે ગૂજરાત કચ્છ કાઠિયાવાડમાં ફરી વળ્યા. અને તેમણે તે ભૂમિમાં પિતાના ધર્મો અને વેપાર વસાવ્યા. શ્રીમાળીએ સાથે જ ઓસવાળો, અને પરિવા, અહીં ઊતરી પડ્યા; તેમણે તેમના ગૂર્જરરાષ્ટ્રની સંસ્કૃતિને પિતાના નવા વતનમાં વસાવી અને તે વતનને ગૂર્જરરાષ્ટ્રનું નવીન અભિધાન અપાવ્યું. એ લેકે વિદ્વાને હતા, સરદારે હતા, વેપારીઓ હતા, અધિકારીઓ હતા. જે જે પ્રવૃત્તિમાં તેઓ પાવા તે દરેકમાં તેમણે ખ્યાતિ મેળવી. એવો જ વિસ્તાર આ યુગમાં ઔદિચ્ય બ્રાહ્મણોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy