SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ અને નાગરોએ કર્યો. મૂળરાજે તથા સિદ્ધરાજે ઔદિચ્ય બ્રાહ્મણોનાં સિહોર મુકામે સંસ્થાનો વસાવ્યાં. નાગર બ્રાહ્મણોના સંસ્થાન વડનગરની હેમચંદ્ર “દ્વયાશ્રયમાં અનન્ય પ્રશંસા કરી છે. આપણી બીજી નાતજાતે સેલંકીયુગમાં જામી. એ નાતજાએ આપણે ત્યાં પ્રાદેશિક, ગ્રામિક અને નાગરિક નામ ધાર્યા તે સોલંકી યુગમાં. મોઢેરાના બ્રાહ્મણ અને વણિક મોઢ બ્રાહ્મણો, મઢ વાણિઆઓ થયા; વાયડ ગામના વણિકે વાયડા વાણિઆ થયા; ઝાલેરના વણિકે ઝાલેરા કહેવાયા; ડીસાના વણિકે ડિસાવાળ કહેવાયા; ખેડાને બ્રાહ્મણે ખેડાવાળ કહેવાયા; ખડાયતના લકે ખડાયતા વણિકે કહેવાયા. વડનગરના બ્રાહ્મણે વડનગરા નાગર કહેવાયા. વિશનગરના બ્રાહ્મણો વિશનગરા નાગર કહેવાયા. સોલંકી રાજવંશે આ દ્વિજોત્તમોને રાજ્યમાં સંસ્થાનો અને બ્રહ્માપુરીઓને વાસ કરાવ્યો, તેમને મંદિરને કારભાર સોં, તેમના નિર્વાહ માટે તેમને ગામે આપ્યાં અને તેમની પાસે વિદ્યાનું પઠનપાઠન કરાવ્યું. એ બ્રાહ્મણોએ ગૂર્જરરાષ્ટ્રમાં પાશુપત, કૌમાર અને શાક્ત સંપ્રદાય ફેલાવ્યા અને ગુજરાતને નવીન સંસ્કૃતિમાં મૂક્યો. સોલંકી વંશને રાજપૂતવિસ્તાર ખાસ ધ્યાનમાં લેવા જોગ છે. ગૂજરાતને સેલંકીવંશ ભારતવર્ષને મુખ્ય રાજવંશ બચે. જે ચાલુક્યો પૂર્વે દક્ષિણનિવાસી હતા તે ચાલુક્યો હવે ઉત્તરાપથના રાજ્યભક્તાઓ થયા. તેમણે રાજસ્થાનના મોટા મોટા રાજવંશે સાથે સંબંધ બાંધ્યા. મધ્યદેશના રાજવંશને હાર થતાં તેમનાં ઘણું કટુંબ સોલંકી રાજયમાં વસવા આવ્યાં. સેલંકી રાજવીઓએ તેમને ગૂજરાતનાં લશ્કરે સોંપ્યાં. સુરાષ્ટ્ર અને ગૂજરાતના ચાવડાઓ, ચૂડાસમાઓ અને ગોહેલે હવે વાઘેલા, સિસોદીઆ, ચૈહાણે, પરમારો, વગેરે રજપૂત કુટુંબના સહભાગી થયા. એમણે આપણા જૂના રાજવંશને દાબી દીધા. તેમણે ગુજરાતમાં ઠાકરડાઓને અને ભિલેને દાબમાં રાખ્યા અને સુરાષ્ટ્રમાં કાઠીઓને, મહેર લેકને અને આહિરોને કબજે કર્યા. મુસ્લિમ સુલતાનોએ તેમને વતન આપી કાયમ રાખ્યા અને મોગલેએ, મરાઠાઓએ અને ઈજેએ તેમને કબૂલ્યા. તેથી ગૂર્જરરાષ્ટ્રની રાજપૂતાઈ સ્થાનિક બની, ઈર્ષાળુ થઈ, કલહપ્રેમી રહી અને સ્વતંત્રતાની હિમાયતી થઈ. તે રજપૂતાઈને જેનોએ અને વૈષ્ણએ કબજે રાખો અને તેની સત્તાને નિયમમાં રાખી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy