SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ગુજરાતની સોલંકી સંસ્કૃતિ હજુ કાયમ છે. આપણું સેલંકી સંસ્કૃતિ વગર આપણે આપણું વર્તમાન સંસ્કૃતિ સમજી શકીએ નહીં. રાજસ્થાનના રાજ્યસમૂહમાં એ એકરાષ્ટ્રભાવ કદી આવ્યું નથી. માલવ રાજ્ય તે ભારતના ઈતિહાસના ઘેરી માર્ગો ઉપર એક આરામસ્થાનરૂપે રહ્યું છે. પાંડવે, કેરલ અને ચલ રાજ્યો એકરાષ્ટ્ર કરતાં સમૂહરાષ્ટ્ર હતાં. અને તેમની તથા વિજયનગર રાજ્યની સંસ્કૃતિ દ્રવિડ, મલય, કાનડી અને કોઈ વાર તેલુગુ હતી. યદુવંશી, ભોંસલેશાહી તથા પેશવાઈને મહારાષ્ટ્ર ચોક્કસ એકરાષ્ટ્ર દેશ હતો. પણ તે રાષ્ટ્રના જીવનમાં સેલંકીયુગની કળા નહોતી, તેમાં સેલંકી યુગને વિદ્યાવિસ્તાર નહોતે, તેના રાજવંશોમાં સોલંકીઓની સતત ઉચ્ચ અભિલાષાઓ નહતી, તેમાં સેલંકીઓને સર્વધર્મસંસ્કાર નહોતે, તેમાં સોલંકીઓનું ભારતવર્ષીય અભિમાન કે સમાન નહતું. ટૂંકમાં, સોલંકીયુગનું ગૂર્જરરાષ્ટ્ર અને મ્યું હતું. નીચે તે અને ખી વાતે વધારે સ્પષ્ટ થશે. સેલંકીયુગમાં ગુજરાતની રાજ્યકીય સરહદે નક્કી થઈ. વલભી રાજાઓએ તેમને નક્કી કરવા ઘણા પ્રયત્ન કર્યા હતા. પણ તેમની રાજધાની વલભી સુરાષ્ટ્રના ખૂણામાં આવેલી હોઈ તેઓ તે કામ કરી શક્યા નહીં. તેમના નાશ પછી સુરાષ્ટ્રમંડળ, ઓખામંડળ, સારસ્વતમંડળ, લાટમંડળ, વગેરે ગુજરાતના વિભાગે થઈ ગયા અને આનર્ત, લાટ, સુરાષ્ટ્ર, કચ્છ, અપરાંત, એવા જૂના ભાગે પાછા પડી ગયા. ચાવડાઓ, સધવો અને ચૂડાસમાએ સોલંકીઓ જેવા ભડ નહોતા. તેમની બુદ્ધિ અગાધ નહોતી. તેમને બહુ સમર્થ અમાની કે વેપારીઓની મદદ નહોતી. તેથી તેઓ ગૂજરાતને એક રાષ્ટ્રભાવ આપી શક્યા નહીં. તેમનું લક્ષ લાટ, માલવ, સિલ્વદેશ કે અપરાંત તરફ ગયું નહીં અને તેમનું ક્ષાત્ર તેજ સ્થાનિક, સંકુચિત અને પરસ્પર કલહવાળું રહ્યું. ભરૂચના ગૂજરવંશ તરફથી ધર્મસંસ્થાપનાની દિશામાં સારે પ્રયત્ન થયે હેય એવું તેમનાં દાનપત્રોથી જણાય છે. પણ તે વંશ સ્થાનિક રહ્યો, પરદેશી રહ્યો, અને સારસ્વતમંડળને અને સુરાષ્ટ્રને મેળવી શક્યો નહીં. ગૂજરાતના રાષ્ટ્રકૂટ પરદેશીઓ થઈને રહ્યા; જો કે તે સંબંધ ઘણું વરસે સુધી રહ્યો હતે. માત્ર પાટણના સેલંકીઓએ ગૂર્જરરાષ્ટ્રની સરહદો ચોકકસ કરી, ગૂર્જર પ્રજાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy