SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વીકાર્યો હતો; અને એ રીતે તે પિતે જૈન ધર્મનો એક આદર્શ પ્રતિનિધિ બન્યા હતા. આટલું પૂર્વભૂમિકા તરીકે કહી હવે હું કુમારપાલના રાજજીવનનું કેટલુંક રેખાચિત્ર આપની આગળ રજૂ કરવા ઇચ્છું છું. કુમારપાલનું રાજજીવન, ઘણીક રીતે, મૈર્ય સમ્રાટ અશોકના રાજજીવન સાથે મળતું આવે છે. રાજગાદી ઉપર આવ્યા પછી જેમ અશકને અનિછાયે શત્રુ રાજાઓ સાથે લડવાની ફરજ પડી હતી તેમ કુમારપાલને પણ અનિચ્છા જ પ્રતિપક્ષી રાજાઓ સાથે લડવાની ફરજ પડી હતી. અશોકના રાજગાદી પર બેઠા પછી પણ ત્રણેક વર્ષ સુધી તેનું રાજ્ય થાળે નહેતું પડયું, તેમ કુમારપાલનું રાજ્ય પણ ત્રણેક વર્ષ સુધી થાળે નહોતું પડયું. અશોકને જેમ રાજસિંહાસન ઉપર આવ્યા પછી સાત-આઠ વર્ષ સુધી શત્રુઓને વિજિત કરવામાં વ્યગ્ર રહેવું પડયું તેમ કુમારપાલને પણ એટલે સમય શત્રુઓ સાથે બાથ ભીડવામાં લાગ્યા રહેવું પડયું હતું. આમ આઠ-દશ વર્ષ સુધી વિગ્રહ ચલાવી શત્રુઓને પરાજિત કર્યા પછી, જીવનના શેષભાગમાં, જેમ અશોકે પોતાની પ્રજાની નૈતિક અને સામાજિક ઉન્નતિ થાય તે માટે અનેક રાજાજ્ઞાઓ જાહેર કરી આખાયે રાજ્યમાં શાતિ અને આબાદી ફેલાવવા પ્રયત્ન કર્યો હતો, તેમ કુમારપાલે પણ તે જ પ્રયત્ન આદર્યો હતો. અશોક જેમ પૂર્વાવસ્થામાં શૈવ હતો અને પછી બોદ્ધ થયે તેમ કુમારપાલ પણ પ્રથમ શૈવ હતો અને પછી જે થયે. જેમ અશકે બોદ્ધ ધર્મને સ્વીકાર કરી તે ધર્મના પ્રસાર અર્થે પિતાનું સર્વ સાત્ત્વિક સામર્થ્ય ખર્ચ કર્યું તેમ કુમારપાલે પણ જૈનધર્મને સ્વીકાર કરી તેના પ્રચાર અર્થે પિતાની સાત્વિક શક્તિને પૂરેપૂરો ઉપયોગ કર્યો. અશકે જેમ બ્રાદ્ધધર્મપ્રતિપાદિત શિક્ષાપદ આદિ ઉચ્ચ પ્રકારને ધાર્મિક નિયમનો ભાવુક થઈ સ્વીકાર કર્યો અને તેમ કરી તે પરમ સુગોપાસક બન્યો, તેમ કુમારપાલે પણ જેનધર્મમાં ઉપદેશેલા ગૃહસ્થજીવનને આદર્શ બનાવવા માટે આવશ્યક એવા અણુવ્રતાદિ નિયમોને શ્રદ્ધાળ થઈ સ્વીકાર કર્યો અને તેથી તે જૈનોમાં પરમહંત બન્યો. અશોકે જેમ પ્રજામાંથી દુર્ગ્યુસને દૂર થાય તે માટે અનેક ધર્માતાઓ જાહેર કરી તેવી જ રીતે કુમારપાલે પણ પિતાના રાજ્યમાંથી દુર્વ્યસનના નિવારણ માટે અનેક રાજાશાઓ જાહેર કરી. અશોકે જેમ બૈદ્ધ ધર્મની પૂજા માટે અનેક સ્તૂપો ઊભા કરાવ્યા તેવી જ રીતે કુમારપાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy