SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હમ સારસવત સત્રઃ નિબંધસંગ્રહ ૧૪૭ જૈન એ બંને પ્રજાધર્મ હતા. અલબત, રાજધર્મ સામાન્યરીતે શૈવ જ ગણાતો. ગુજરાતના રાજાઓની ઉપાસ્યદેવ શિવ હતા. રાજપુરોહિત શિવધ નાગર બ્રાહ્મણ હતા અને રાજગુરુ શિવોપાસક તાપસ હતા. પરંતુ અણહિલપુરના સંસ્થાપક વનરાજ ચાવડાથી લઈ કવાધેલા સુધીના ગુજરાતના હિંદુરાજત્વકાળમાં, જૈનધર્માનુયાયીઓનો સામાજિક દરજજો સૌથી ઊંચા પ્રકારને હતું અને જેને પ્રજાવર્ગના પ્રતિષ્ઠિત અગ્રણી હતા તથા રાજકારભારમાં પણ તેમને હિસે સૌથી અધિક હતું. તેથી રાજાઓ શૈવ હાઈને પણ જૈનધર્મ તરફ પણ તેટલી જ આદરની દષ્ટિ રાખતા. જૈન વિદ્વાન આચાર્યો રાજા પાસે સતત આવતા જતા અને રાજાઓ પણ તેમને પોતાના ગુરુઓના જેટલો જ આદર આપતા. કેટલીક વખતે તે રાજકુટુંબમાંથી પણ કઈ કોઈ વ્યક્તિ જૈનધર્મની સન્યસ્ત દીક્ષા ધારણ કરતી. અનેક રાજપુત્રો જેન આચાર્યો પાસે વિદ્યાગ્રહણ કરતા. એમ રાજાઓ જેને સાથે પ્રાયઃ સર્વ પ્રકારના નિકટ સંબંધમાં રહેતા હતા તેથી તેમના મનમાં ધર્મસંબંધી તે કશો વિશેષ ભેદભાવ નહેતે રહેતે. શૈવધર્મના આદર્શ પ્રતિનિધિ સમો સિદ્ધરાજ પણ જૈન સંબંધોથી તેટલે જ સંકળાએલ હતો. સિદ્ધપુરમાં રુદ્રમહાલય સાથે તેણે રાયવિહાર નામનું આદિનાથનું જૈન મંદિર પણ બંધાવ્યું હતું. ગિરનાર પર્વત ઉપર નેમિનાથનું જે મુખ્ય જૈન મંદિર આજે વિદ્યમાન છે તે પણ સિદ્ધરાજની ઉદારતાનું કાર્ય છે. સોમનાથની યાત્રા સાથે ગિરનાર અને શત્રુંજયના જૈન તીર્થોની યાત્રા પણ સિદ્ધરાજે તેવા જ ભાવથી કરી હતી અને શત્રુંજય તીર્થના નિર્વાહ માટે ૧૨ ગામોનું વર્ષાસન બાંધી આપવા તેણે પોતાના મહામાત્ય અશ્વાકને આજ્ઞા કરી હતી. આથી સમજી શકાય છે કે સિદ્ધરાજ કાંઈ જૈન ધર્મ સાથે ઓછી મમતા નહેાત ધરાવતો. તેનામાં અને કુમારપાલમાં જે તફાવત હતું તે એ કે સિદ્ધરાજ પિતાના મનમાં શૈવ ધર્મને મુખ્ય માનતે હતો અને જૈન ધર્મને ગણ માનતા હતા ત્યારે કુમારપાલ પિતાના પાછલા જીવનમાં જૈનધર્મને મુખ્ય માનતે થયો હતો. સિદ્ધરાજના ઇષ્ટદેવ આખરસુધી શિવ જ હતા ત્યારે કુમારપાલના ઈષ્ટદેવ અંતિમ જીવનમાં જિન થયા હતા. તેણે દેવ તરીકે જિનને અને ગુરુ તરીકે આચાર્ય હેમચંદ્રને પોતાના કલ્યાણકારક આપ્તપુરુષ માન્ય હતા, અને અહિંસાપ્રબોધક ધર્મને તેણે પિતાના મોક્ષદાયક ધર્મ તરીકે શ્રદ્ધાપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy