SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ગુજરાતી સાહિત્ય પરિષદ મન:સમાધિ મેળવવા માટે. સાત્ત્વિકભાવે કરેલ ધર્માતર એ દેષરૂપ નથી પણ ગુણરૂપ છે. એવા ધર્માતરથી નવીન બળ અને ઉત્સાહને સંચાર થાય છે. પ્રજાની માનસિક અને નૈતિક ઉન્નતિ થાય છે. જૈનધર્મને સ્વીકાર કરીને કુમારપાલે પોતાની પ્રજાનું જે અનન્ય કલ્યાણ કર્યું છે, તે બીજી રીતે ન કરી શક્યો હોત. તેના ધર્માતરે પ્રજાનો પરસ્પરને ધાર્મિક વિષ એ છો કર્યો અને સામાજિક ઉત્કર્ષ વધાર્યો. અને ખરી રીતે તો એ જમાનામાં, ધર્માતર વિષેની જે સંકીર્ણ વિચારશ્રેણી આજે દેખાય છે તેવી હતી જ નહિ. સામાજિક દષ્ટિએ ધર્માતર કશું વિશેષત્વ નહોતું ધરાવતું. જેન અને શૈવ બંને ધર્મો ગુજરાતના અનેક પ્રતિષ્ઠિત કુટુંબમાં સરખીરીતે પળાતા હતા. કોઈ ઘરમાં પિતા શિવ હતો તે પુત્ર જૈન હતા અને કોઈ ઘરમાં સાસુ જેન હતી તે વહુ શૈવ હતી. કોઈ ગૃહસ્થનું પિતૃકુળ જેન હતું તો માતૃકુળ શિવ હતું અને કેાઈનું માતૃકુળ ન હતું તો પિતૃકુળ શૈવ હતું, એમ ગુજરાતને આખે ય વૈશ્ય વર્ગ પરસ્પર બંને ધમનુયાયી હતા. તેથી આવું ધર્માતર ગુજરાતના સભ્ય સમાજમાં બહુ જ સામાન્ય હતું. રાજકારભારમાં પણ બંને ધર્માનુયાયીઓને સરખે દરજજો અને સરખે ફાળો હતો. કોઈ વખતે જૈન મહામાત્યના હાથમાં રાજ્યનાં સર્વ સૂત્ર આવતાં કોઈ વખતે શિવ મહામાત્યના હાથમાં. પણ એથી કોઈ પણ પ્રકારની રાજનીતિમાં ફેરફાર નહોતે થતું. શિવની અને જેનો કોઈ જુદી જાતની સમાજરચના ન હતી. સામાજિક વિધિવિધાને નિયમ પ્રમાણે બધા બ્રાહ્મણો દ્વારા જ થતા. શેવ કુટુંબની કે જેના કુટુંબની કુલદેવતાઓ એક જ હતી અને તે કુલદેવતાઓનાં પૂજનઅર્ચન બંને કુટુંબવાળા કુળ પરંપરાના નિયમ પ્રમાણે સાથે સાથે અને એક જ રીતે કરતા. આમ બંને ધર્મો વચ્ચે સામાજિક દષ્ટિએ તો સર્વથા અભેદ જ હતા. માત્ર ધર્મભાવના અને ઉપાસ્યદેવની દષ્ટિએ પરસ્પર શેડોક ભેદ હતે. શો પિતાના ઇષ્ટદેવ શિવની ઉપાસના અને પૂજાસેવા કરતા; જેને પોતાના ઈષ્ટદેવ જિનની પૂજાઅર્ચા કરતા. શિવપૂજકના કેટલાક વર્ગમાં મઘમાંસનુ સેવન ત્યાજ નહોતું ગણાતું ત્યારે જેનોમાં એ વસ્તુ સર્વથા ત્યાજ્ય મનાતી. કેઈ પણ શિવ જે જે થાય તે તેને મુખ્ય અર્થ જ એ મનાતે કે તેણે મધ અને માંસને સર્વથા ત્યાગ કર્યો. અને તેમ કરી તેણે જીવહિંસા ન કરવાને મુખ્ય જૈન નિયમ લીધે. મુખ્ય રીતે ગુજરાતના શૈવ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy