SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ગુજરાતી સાહિત્ય પરિષદ હેમચન્દ્રના શિષ્યમંડળમાંથી બાલચન્દ્ર જુદા પડયા હતા એ ઐતિહાસિક સત્ય છે અને રામચન્દ્રના મૃત્યુમાં પણ તે કારણભૂત હશે. અજયપાલન જેનમંત્રી યશપાલ (મોહરાજપરાજયના કર્તા) તથા આભડ વગેરે શેઠિયાઓએ રામચન્દ્રસૂરિનું આવી રીતે મૃત્યુ થતુ અટકાવવાના ઘણું પ્રયાસ કર્યા હતા, પણ તેમના એ સર્વ પ્રયત્ન નિષ્ફળ નિવડયા હતા. ૧૮ ૨. ગુણચન્દ્ર રામચન્દ્રના ગુરુભાઈ અને તેમની સાહિત્યપ્રવૃત્તિઓમાં અનેક પ્રકારે સહાય કરનાર ગુણચન્દ્ર વિષે લગભગ કંઈ જ જાણવામાં આવતું નથી. પ્રાપ્ત સાધનો ઉપરથી માત્ર અનુમાને ખેંચવાનાં જ રહે છે. ગુણચકને એકે સ્વતંત્ર ગ્રન્થ અત્યારસુધીમાં જાણવામાં આવેલો નથી. રામચન્દ્રને “નાટયદર્પણ” એ નાટયશાસ્ત્રને અને “દ્રવ્યાલંકાર એ પ્રમાણુશાસ્ત્રને ગ્રન્થ લખવામાં ગુણચન્ટે સહાય કરી હતી એ સુપ્રસિદ્ધ છે. એ બન્ને ગ્રન્થો પરની વૃત્તિઓ પણ તેમણે સાથે જ લખેલી છે. રામચંદ્ર અને ગુણચન્દ્રના સ્વભાવમાં અમુક તફાવત હતા, એમ આપણે સહજ અનુમાન કરી શકીએ છીએ. બન્ને પ્રખર વિદ્વાને તે હતા જ, પરંતુ રામચન્દ્રનાં અગિયાર નાટકે, તેમાંનું હળવું લેડmોગ્ય વસ્તુ, વારંવાર તેમાં જણાતા રમૂજી ટોળટપ્પા અને હાસ્યજનક પ્રસંગે, સામાજિક અને સાંસારિક ચિત્રો, મધુર વિશદ અને આનંદજનક સૂક્તિઓ, ઉદ્દામ સ્વાતંત્ર્યપ્રેમઃ એ બધું બતાવે છે કે રામચન્દ્રની પ્રતિભા સર્વમુખી હતી, એમનું માનસિક ઘડતર ગંભીરતાપરાયણ નહીં–બકે ઉલ્લાસમય હતું. તદ્દન સામાન્ય વસ્તુઓમાં પણ ઊંડો રસ લઈ તેમાંનું સૌન્દર્ય પીછાણવાની ઉચ્ચ સાહિત્યકારોમાં સાધારણ એવી જે શક્તિ તે તેમના માનસમાં સભર ભરેલી હતી. બીજી બાજુ, ગુણચન્દ્ર વિષે એમ કહી શકાય કે તેઓ વિદ્વાન હતા, સર્જક અને સાહિત્યકાર નહતા. રામચંદ્ર જ્યારે નાટકે, સુભાષિત ૧૮. રામચન્દ્ર વિષેના આ લખાણમાં તેમના અપ્રસિદ્ધ ગ્રન્થમાંથી જે અવતરણ વગેરે લેવાયાં છે તે પં. લાલચન્દ્ર ગાંધીએ લખેલ “નલવિલાસ'ના નાટકની સંસ્કૃત પ્રસ્તાવનામાં ઉદ્ધત કરેલાં છે, એ હકીક્તની અહીં સાભાર નેધ લઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy