SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ : લેખકઃ ભેગીલાલ જ. સાંડેસરા કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચન્દ્રાચાર્ય યુગ એ ગુજરાતના ઈતિહાસને સુવર્ણયુગ છે. હરકોઈ દૃષ્ટિએ એ કાળમાં ગૂર્જરની પ્રગતિ અને ઉન્નતિ જોવામાં આવે છે. સિદ્ધરાજ અને કુમારપાળના એ શાસનસમયમાં ગુજરાતના સામ્રાજયને અભૂતપૂર્વ વિસ્તાર થયો; વિદ્યાકળા, વાણિજ્ય, મુત્સદ્દીગીરી એ સર્વ ક્ષેત્રોમાં ગૂજરાત અને ગૂજરાતીઓને વિકાસ થયો. તે કાળના સ્થાપત્યના ઘણું ઓછી અવશેષો આજે આપણને જોવા મળે છે, પરંતુ જે જોવા મળે છે તે ઉપરથી તથા પ્રાચીન ગ્રન્થોમાંનાં વર્ણને ઉપરથી એ પ્રાસાદે, મહાલ અને દેવમંદિરની ઝાંખી આપણું મન ચક્ષને થઈ શકે છે. ગૂજરાતની વાણિજ્યવિષયક જાહેરજલાલીનાં પરદેશી મુસાફરોએ કરેલાં સંખ્યાબંધ વર્ણને પ્રાપ્ત થાય છે, પણ આજે સમગ્ર હિન્દના વ્યાપારઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન એ જ માત્ર એ કાળને જે વારસો આપણે ભોગવી રહ્યા છીએ તેની કલ્પના કરાવવાને બસ થશે. એ કાળની અહિંસામાં નવી પ્રાપ્ત થયેલી સાત્વિક સિદ્ધિનું જેમ હતું. અનેક જૈન સ્ત્રીઓ, અમાત્યો અને સેનાપતિઓને, કુમારપાળ જેવા પરમહંત રાજાને અને હેમચન્દ્રાચાર્ય જેવા વિરક્ત સંન્યાસીને પણ જેને સિદ્ધાન્તાએ પ્રવૃત્તિવિમુખ બનાવ્યા નહોતા. ભૂતકાળમાં નજર ફેંકતાં સિદ્ધરાજ – કુમારપાળના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે કે હેમચન્દ્રનાં સાત પ્રતિભાવાન નયનોમાંથી બહાર પડી રહી છે. એમાં વિદ્યા, સંસ્કારિતા અને સર્વધર્મસમભાવનું અદ્દભૂત એજયું છે. હેમચન્દ્ર આખા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy