SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહ ૧૧૭ પિતાનું રાજસમસ્ત તેમને ચરણે ધરે છે. રાજા અને સરિ વચ્ચે મૈત્રીસંબંધ જામે છે. ગામમાં પડે વાગે છે. મહારાજ કુમારપાળ સોમનાથ ગિરનાર અને શત્રુંજયની યાત્રાએ પધારે છે. જે કઈ પ્રજાજનોને જોડાવું હોય તેમણે વાટખીની રકમ અને જોઈતાં સાધને સાથે રાખવાં.” નિયત શુભ મુહૂર્તે અણહિલવાડ પાટણના રાજમાર્ગેથી રાજાને વિશાળ યાત્રાસંધ નીકળે છે, જેમાં હાથી, ઘોડા, બળદે અને બીજા પ્રવાસનાં અનેક સુખસાધને રાખવામાં આવ્યાં છે. રાજાના કૃપાપાત્ર હેમચંદ્ર જૈન સાધુ હોવાથી તેમનાથ મહાદેવની યાત્રાએ નહિ આવી શકે એવી કેટલાક અન્યધર્મીઓની સંકુચિત ધારણાને ખોટી પાડતા સુરિ હેમચંદ્ર પણ જૈનાચાર અનુસાર પગે ચાલતા આ સંઘના યાત્રાળ બન્યા છે. લોકસમુદાય એ ઘટના કાંઈક આશ્ચર્યથી જોઈ રહે છે. સંઘ પ્રભાસપાટણ પચે છે. રાજા સોમનાથ મહાદેવની ભક્તિભાવથી પૂજા કરે છે. સૌના આશ્ચર્ય વચ્ચે સામે આસન માંડી બેઠેલા આચાર્ય હેમચંદ્રના મુખથી મહાદેવનું સ્તુતિસ્તોત્ર ઝરે છે? प्रशान्तं दर्शनं यस्य, सर्व भूताभयप्रदम् । माङ्गल्यं च प्रशस्तं च, शिवस्तेन विभाव्यते ॥ જેને અંતે, भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થાત “સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દોષો ક્ષીણ થઈ ગયા છે એવા બ્રહ્મા હૈ, વિષ્ણુ છે, મહાદેવ છે કે જિન છે – ગમે તે હે તેમને નમસ્કાર છેઃ વગેરેથી તથા यत्रयत्र समये यथा यथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः सचेद् भवान् एकएकभगवन् नमोऽस्तुते ॥ એટલે કે “ ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે જે વીતરાગ એક જ છે, તે તું હે તે હે ભગવાન તને મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy