SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ગુજરાતી સાહિત્ય પરિષદ સમૂહથી ગાજતું એક વિરાટ સરઘસ રાજમહાલય તરફ મંગલ પ્રસ્થાન કરે છે. મુખપરની અચલ શાતિ અને સાધુસુલભ નમ્રતાથી વધુ વંદનીય લાગતા, આજુબાજુ પતિ અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા આચાર્ય હેમચંદ્ર સરઘસની મધ્યમાં તેજરાશિ જેવા શોભે છે. તેમની પાછળ બહુવિધ રંગસામગ્રીથી શોભન બને, પહેરાવેલી પુષ્પમાળાઓના પમરાટથી વાતાવરણને ભરી દેતે, અને જાણે આ મહાગ્રંથને નિજમસ્તકે ધારણ કરવાના મહાભાગ્યથી પિતાને કૃતકૃત્ય સમજતે હોય તે રાજગજશાળાને મુખ્ય માતંગ ગર્વિષ્ઠ ડગલાંથી પ્રતાપ પાડતો ચાલે છે; અને તેની પાછળ ચાલતી શનિવસના પર અંગનાઓનાં સરસ્વતીગીતથી સમગ્ર વાતાવરણ ઉલ્લાસ અને ઉત્સાહની પરિસીમાએ પહોંચે છે. રાજમહાલયના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જઈ સિદ્ધરાજ પિતાના દરબારીઓ અને અન્ય ગૃહસ્થા સાથે જઈ સામૈયું કરે છે અને એ મહાગ્રંથને હાથીની પીઠ પરથી અત્યંત માનપૂર્વક ઉતારી રાજદરબારમાં લાવવામાં આવે છે. આચાર્ય હેમચંદ્રના વ્યાકરણ-સારસ્વતસૂત્રને એ મંગળ દિવસ બની રહે છે. એ પછી એ ગ્રંથની નકલ કરવા માટે ત્રણસો લહિયાઓને રોકવામાં આવે છે. જુદા જુદા પંડિત અને ધર્માધ્યક્ષોને એ ગ્રંથ ભેટપુસ્તક તરીકે મોકલવામાં આવે છે, તેમજ કાશ્મીર, નેપાળ, સિંહલદ્વીપ અને ઈરાન જેવા દૂરના પ્રદેશોમાં તેની પ્રતે મોકલી સિદ્ધરાજ અને હેમચંદ્ર હિંદુસ્તાનની બહારના દેશમાં પણ ગણનાપાત્ર બની રહે છે, એ પછી કેટલાંય વર્ષો વહી જાય છે. સિદ્ધરાજ સિંહ પરલેક પામે છે અને તે પછી દેશપર અતિશય પ્રતાપી અને ધારાધિપ બલ્લાલ તથા જંગલભૂપરૂપી હાથીઓના મસ્તક ઉપર તરાપ મારવામાં સિંહ જેવા કુમારપાળનું રાજશાસન પ્રવર્તે છે. આચાર્ય હેમચંદ્ર તેના પર જે ઉપકારો કર્યા છે તેના પરિણામે કતા કુમારપાળ તેમને ખૂબ આદરસત્કાર કરી તેમને ગુરુપદે સ્થાપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy