SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ગુજરાતી સાહિત્ય પરિષદ કરતાં અધિક શિક્ષા કરવા અધિકારીઓને આજ્ઞા આપી હતી. અને અધિકારીઓએ રાજાની આજ્ઞા પ્રમાણે રાજ્યમાં સર્વત્ર અમારિ-ઘોષણું પ્રકટ કરી હતી. કુમારપાલના શ્રેષ્ઠ રાજ્યમાં પશુ-વધ બંધ થયો. માંસાહાર તજી લોકો નિર્દોષ ભજન કરતા થયા. “વિક્રમ, અભય–દાન, ન્યાય-પાલન, વિગેરે સદ્ગણે વડે અમારિ–પ્રવર્તક કુમારપાલ જે અન્ય નથી” એવી ખ્યાતિ થઈ. લક્ષ્મીના ગર્વથી માંસ ખરીદનારને તે લહમીરહિત કરી શકતા, કરુણ (જીવ-દયા) વિષયમાં શ્રદ્ધારહિતને તે સાર્થક વચને વડે ઉલ્લાસિત શ્રદ્ધાવાળા કરતે. તેના પ્રશંસનીય શાસનમાં દેવીઓ પણ પશુવધવાળાં બલિ-દાન પામતી ન હતી. શિકારીઓ પણ શિકાર કરતા નહિ. યજ્ઞોમાં હેમચંદ્રાચાર્ય સં. “ થાશ્રય” મહાકાવ્ય (સર્ગ ૨૦)માં ઉલ્લેખે કર્યા છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય “અભિધાનચિંતામણિનામમાલા (કાંડ ૩, શ્ય. ૩૭૬-૩૭૭)માં કુમારપાલના નામને નિર્દેશ કરતાં પરિચય કરાવ્યો છે કે " कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारि-व्यसनवारकः ।।" કુમારપાલનાં ઉપર્યુક્ત ૮ નામની વ્યુત્પત્તિ–વ્યાખ્યા કરતાં તેઓએ સૂચવ્યું છે કે કુમારે( શિશ-બાલ)ની જેમ પ્રજાને પાલન કરવાથી અને પૃથ્વી તથા મા=લક્ષમીને અત્યંત પાલન કરવાથી ૧ કુમારપાલ, ચુલુના અપત્ય હેવાથી ૨ ચૌલુકય, ૭ અંગે વાળા રાજ્ય વડે ભતા હેવાથી રાજા તથા ક્ષમા વિગેરે ગુણો ધારણ કરવાથી ત્રાષિ=૩ રાજર્ષિ, આને અહન દેવતા હોવાથી તથા ક્ષમા વિગેરે ગુણો વડે પરમ હોવાથી ૪ પરમાઈd, મૃત્યુ પામનારના–-નિવરના દ્રવ્યને મૂકનાર--ન ગ્રહણ કરનાર થવાથી પ મૃતસવમક્તા, અહિંસા વિગેરે લક્ષણવાળે ધર્મ જ એને આત્મા હોવાથી ૬ ધર્માત્મા, મારિને–પ્રાણિવધને સર્વથા લેકમાં વારણ કરનાર–નિષેધ થવાથી ૬ મારિવારિક તથા શિકાર, જુગાર, અને મદિરાપાન, વિગેરે વ્યસનને સર્વથા લેકમાં વારનાર–નિષેધક થવાથી ૮ વ્યસનવારક એવા નામેથી વિખ્યાત થયો હતો. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજા કુમારપાલના પરિચય અને વર્ણન સંબંધમાં સંસ્કૃત “દ્વયાશ્રય મહાકાવ્યના ૧૬મા સર્ગથી ૨૦મા સર્ગ સુધીના પાંચ સર્ગો અને પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યના આઠે સર્ગો રેકયા છે. પિતાના સમકાલીન સુપરિચિત અને પ્રતિબંધિત ભક્ત મહારાજાનું સદ્દગુણમય સત્કર્તવ્ય-વિભૂષિત જીવન-ચરિત, વિસ્તારથી પણ સમુચિત મર્યાદિત રીતે મહાકવિની પદ્ધતિથી તેઓએ આલેખ્યું છે. તથા સાપણ “દેશીનામમાલા’ની દાનુશાસન’ની વ્યાખ્યામાં ઉદાહરણ તરીકે અનેકવાર ચૌલુકય કુમારપાલની પ્રશંસાનાં પો ઉચ્ચાર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy