SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શી. હેમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૧૦૭ માંકણ, જૂ, વિગેરે ને પણ અંત્યજે(ચંડાલ જેવા હલકા ગણાતા લેકે )પણ હશે નહિ. પાપદ્ધિ(પારધી–શિકારી-કર્મ)નો નિષેધ તે રાજા વિદ્યમાન રહેતાં અરણયની મૃગજાતિઓ ( જંગલમાં વસતાં હરણ વગેરે) ગોષ્ઠ– (વાડ )માં રહેલી ગાયોની જેમ સદાય નિર્વિએ મંથ કરતી (વાગોળતી) થશે. શાસનમાં( આજ્ઞાનું પાલન કરાવવામાં) ઈંદ્ર જેવો તે રાજા સ્થલચર, અને ખચર (પક્ષીઓ) પ્રાણુંઓને મારવામાંથી સદા બચાવશે. ૧ ૧. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સં“દ્વયાશ્રય” મહાકાવ્ય (૨૦મા સર્ગમાં, લો. ૫ થી ૨૨)માં જણાવ્યું છે કે રાજ્યનું ન્યાયપૂર્વક પરિપાલન કરતાં કુમારપાલે એક વખતે--ફાગણ શુદિ એકાદશી જેવા પર્વના દિવસે રસ્તામાં ત્રણ ચાર દીન( નિરાધાર અનાથ--કૃપાપાત્ર–બિચારાં) પશુઓને બલાત્કારથી ખેંચી---પકડીને વેચવા માટે લઈ જતા એક માણસને છે. તેને બોલાવી પૂછતાં જણાયું કે પૈસા માટે તે, ખાટકી--કસાઈની દુકાને પશુઓ (બકરાં)ને આપવા જતો હતો. એવી રીતે માંસ ખરીદનારા અને પોતાની આજીવિકા માટે જીવોની હિંસા કરનારા મનુષ્ય તરફ તેને ધિક્કાર આવ્યું. “એવી રીતે પશુઓને વધ થાય એમાં પૃથ્વીનું શાસન કરનાર ભૂપાલના સુવાસિત ચશની ક્ષતિ ગણાય. ઉત્કૃષ્ટ ગંધવાળા દૂઘને અને સુગંધી ક્લમ(ચોખા તથા અન્ય ધાન્ય)ને તજી લોકે દુર્ગધી માંસને સુગંધી બનાવી ખાવા ચાહે એ શાસન કરનાર રાજાનો દુર્વિવેક ગણાય. પ્રજા રાજાને અનુસરનારી હોય છે. એવી રીતે નિરપરાધી પશુઓને વધ થાય અને એવા મેટા અન્યાયને હું ન અટકાવું--ન રેકું તો મારામાં ન્યાયની કે ધર્મની ગંધ પણ છે એમ ન ગણાય; હું કર લઉં છું, તે પૃથ્વીના રક્ષણ માટે લેતા નથી, શરીરના રક્ષણ માટે લઉં છું એવી રીતે ધિક્કારપાત્ર ગણાઉં. ગંગાતટ પર વસનારા મુનિઓ મારી સ્તુતિ કરે છે કે “કુમારપાલ અત્યંત ન્યાયી, ધાર્મિક (ધર્મનિષ્ઠ) અને કૃપાલુ છે' તે સ્તુતિ, આવી રીતે પશુ-વધ થવા દઉં તે ધિક્કારપાત્ર ગણાય. મારા જેવો રાજા હોવા છતાં યમ–રાજના કિંકર જેવા ક્રૂર મનુષ્યો આવી રીતે પશ-વધ કરે તે અગ્ય ગણાય. આ ! ખેદની વાત છે કે ક્રર કર્મવાળા લોકે હસતાં હસતાં પશુઓને હણે છે, પરંતુ ભવિષ્યમાં યમદૂત દ્વારા હણનાર પિતાના આત્મા સંબંધમાં શેઠ કરતા નથી.” જંતુ-વધ કરવામાં મહાપાપને વિચાર કરી તે રાજાએ(કુમારપાલે) તેવું મહાપાપ કરનારને બીજાં પાપ કરનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy