________________
આચાર્ય શ્રીહેમચન્દ્ર ઐતિહાસિક પ્રામાણિક પરિચય
: લેખકઃ પં. લાલચંદ્ર ભગવાન ગાંધી
“શબ્દ-કાળ-સાત્રિ—છો-સ્ત્રવિધાયનાન્ ! श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥"
આચાર્ય શ્રી હેમચંદ્રનું સંસ્મરણએ એક રીતે દેવી સરસ્વતીનું મંગલ સંસ્મરણ ગણી શકાય. સરસ્વતીના અવતાર જેવા સિદ્ધસારસ્વત એ સૂરિવરનું સન્માન – પૂજન એ સરસ્વતીના એક વિશિષ્ટ સ્વરૂપનું કિવા ગુજરાતની સરસ્વતીનું જ સન્માન – પૂજન છે. આઠ સૈકાઓ પહેલાં પ્રબલપ્રતાપી ગૂર્જરેશ્વરોનાં ઉન્નત મસ્તકે જેમને ભક્તિથી નમ્યાં, સરસ્વતીના પવિત્ર તટ પર સરસ્વતીને સાક્ષાત્કાર કરાવતા જે સુરીશ્વરનાં ચરણ– કમલેને ગૂર્જરેશ્વરએ સુવર્ણ – કમલેથી પૂજ્યાં અને જેમને સેંકડે સાક્ષર – સુજનોએ સુવર્ણમય સુવાસિત સુવચન - કુસુમાંજલિથી વધાવ્યા; તેમને સામાન્ય અલ્પજ્ઞ મનુષ્ય શું અર્થ ધરી શકે?
ગૂજરાત પર જેમના ચિરસ્મરણીય અગણિત ઉપકાર છે, કાશ્મીર – વાસિની દેવી સરસ્વતીને જેમણે ગૂજરાત – વાસિની કર્યા, જેમણે ગુજરાતમાં જ્ઞાન - ગંગા વહેવડાવી, જેમણે ગુજરાતને અદ્ભુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org