SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રીહેમચન્દ્ર ઐતિહાસિક પ્રામાણિક પરિચય : લેખકઃ પં. લાલચંદ્ર ભગવાન ગાંધી “શબ્દ-કાળ-સાત્રિ—છો-સ્ત્રવિધાયનાન્ ! श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥" આચાર્ય શ્રી હેમચંદ્રનું સંસ્મરણએ એક રીતે દેવી સરસ્વતીનું મંગલ સંસ્મરણ ગણી શકાય. સરસ્વતીના અવતાર જેવા સિદ્ધસારસ્વત એ સૂરિવરનું સન્માન – પૂજન એ સરસ્વતીના એક વિશિષ્ટ સ્વરૂપનું કિવા ગુજરાતની સરસ્વતીનું જ સન્માન – પૂજન છે. આઠ સૈકાઓ પહેલાં પ્રબલપ્રતાપી ગૂર્જરેશ્વરોનાં ઉન્નત મસ્તકે જેમને ભક્તિથી નમ્યાં, સરસ્વતીના પવિત્ર તટ પર સરસ્વતીને સાક્ષાત્કાર કરાવતા જે સુરીશ્વરનાં ચરણ– કમલેને ગૂર્જરેશ્વરએ સુવર્ણ – કમલેથી પૂજ્યાં અને જેમને સેંકડે સાક્ષર – સુજનોએ સુવર્ણમય સુવાસિત સુવચન - કુસુમાંજલિથી વધાવ્યા; તેમને સામાન્ય અલ્પજ્ઞ મનુષ્ય શું અર્થ ધરી શકે? ગૂજરાત પર જેમના ચિરસ્મરણીય અગણિત ઉપકાર છે, કાશ્મીર – વાસિની દેવી સરસ્વતીને જેમણે ગૂજરાત – વાસિની કર્યા, જેમણે ગુજરાતમાં જ્ઞાન - ગંગા વહેવડાવી, જેમણે ગુજરાતને અદ્ભુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy