SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આચાર્યશ્રી અને શ્રીસંઘને પિતાને આંગણે પધારેલા જોઈ, પાહિણીએ તેમનું યોગ્ય સ્વાગત કર્યું અને તેમના આગમનનું કારણ પૂછયું. આચાર્યશ્રીએ જણાવ્યું કે, “ તારે પુત્ર જૈનશાસનને ઉદ્ધાર કરનાર મહાપુરુષ થઈ શકે તેવાં શુભ લક્ષણોથી અલંકૃત છે; માટે તારા પુત્રને તું અમને શિષ્ય તરીકે અર્પણ કરી દે.” આ સાંભળી ઘરમાં પાહિણી પિતે એકલી હોવાથી વિમાસણુમાં પડી ગઈ કે, “એક તરફથી બાળકને પિતા ઘરમાં નથી અને બીજી બાજુ ગુરુદેવ અને શ્રી સંધ મારે આંગણે પધારેલા છે. આ સ્થિતિમાં મારે ધર્મ શે હોઈ શકે? તેમજ પિતાના ગુણવાન ને પ્રાધિક પુત્રને આપી પણ શી રીતે દે?” આખરે પાહિણીએ જાતે જ નિર્ણય કરી લીધું કે, “ગુરુદેવ અને શ્રીસંઘ મારા સદ્દભાગે મારે આંગણે પધારેલા છે, તેમના વચનને અનાદર કર જોઈએ નહિ તેમજ મારા પુત્ર જૈનશાસન અને જગતને તારણહાર થતો હોય, તે મારે આનંદ જ મનાવવો જોઈએ.” આ પ્રમાણે વિચાર કરી પાહિણીએ પિતાના પ્રિય પુત્રને ગુરમહારાજના કરકમલમાં અર્પણ કરી દીધા. દીક્ષા જન્માંતરના શુભ સંસ્કારી બાળક ચાંગદેવે ગુરુમહારાજના નિર્મળ નેહભર્યા ઉપદેશામૃતનું પાન કર્યું અને આંતરિક ઉત્સાહપૂર્વક ગુરુચરણુમાં વિક્રમ સંવત ૧૧૫૦માં સંસારતારિણી પ્રવજ્યા સ્વીકારી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. વિદ્યાભ્યાસ વિશ્વના ઝગમગતા સિતારા સમાન મહાપુરષોમાં કુદરતી જ એવી પ્રતિભા અને બુદ્ધિવૈભવ હોય છે કે, તેઓ અગમ્ય રીતે જ દરેક પ્રકારની વિદ્યાને સહજમાં અને સ્વ૯૫ સમયમાં મેળવી લે છે. તેમને કોઈ સરસ્વતીને પ્રસન્ન કરવા જવું પડતું નથી કે નથી તેમને કાઈના વધારે પડતા ગુરુત્વની પણ આવશ્યકતા હતી. આપણું બાળમુનિ શ્રી સોમચંદ્ર પણ પોતાની સ્વાભાવિક પ્રગાના બળે થોડાં જ વર્ષોમાં વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું હતું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy