SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ૮. આ. ક્કસૂરિ. ૯. આ. દેવગુપ્તસૂરિ. ૧૦. આ. સિદ્ધસૂરિ. ૧૧. આ. રત્નપ્રભસૂરિ (બીજા) - આ આચાર્યે વીર સં.૨૨૦માં ઘણા ઓસવાલોને જૈનો બનાવ્યા, એવો વહીઓમાં ઉલ્લેખ મળે છે. સ્થવિરાવલી ૧૨. આ. યક્ષદેવસૂરિ (બીજા) ૧૩. આ. કક્કસૂરિ (બીજા) - ઓસિયાના શેઠ લૂણદ્રહીની જમીનમાંથી જે દેવાધિષ્ઠિત પ્રતિમા લઈ આવ્યા હતા તે પ્રતિમાને બતાવેલ મુદ્દત પહેલાં જમીનમાંથી કાઢતાં છાતી ઉપર બે લીંબુ જેવી ગાંઠો રહી ગઈ હતી. વીર સં.૩૭૩માં ઓસિયાના યુવકોએ તે બંને ગાંઠોને ખોદાવવા માટે સલાટો પાસે ટાંકણું મરાવતાં તેમાંથી એકદમ લોહીની ધાર વહેવા લાગી. આ. કક્કસૂરિએ સંઘની વિનંતી થતાં મંડોવરથી અહીં પધારી મૂળ પ્રતિષ્ઠાનો ભંગ થયો જાણી આશાતના દૂર કરાવી. ગણધર શ્રીસુધર્માસ્વામી ચોવીશમાં અંતિમ તીર્થંકર શ્રીમહાવીરસ્વામીની પાટે પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી બિરાજ્યા. ભગવાન શ્રીમહાવીરસ્વામીને ૧૧ ગણધરો હતા. તે પૈકીના ૯ ગણધરો તો ભગવાન શ્રીમહાવીરસ્વામીની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામ્યા હતા, અને બે ગણધરો વિદ્યમાન રહ્યા હતા. તે પૈકીના એક પ્રથમ ગણધર શ્રીઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીને તો ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભગવાન મહાવીરસ્વામી પછી સંઘનાયક થવા યોગ્ય શ્રીસુધર્માસ્વામી એક જ ગણધર વિદ્યમાન રહ્યા, એટલે સંઘવ્યવસ્થાનો બધો ભાર શ્રીસુધર્માસ્વામી ઉપર આવ્યો. તેમજ બીજા ગણધરોના શિષ્યો પણ શ્રીસુધર્માસ્વામીની આજ્ઞામાં રહ્યા. આ કારણે આજનો સમસ્ત શ્રમણસમૂહ શ્રીસુધર્માસ્વામીનો અનુયાયી ગણાય છે. તેઓ નિગ્રંથગચ્છના આદિ સ્થાપક થયા. નિગ્રંથગચ્છ આજના સમસ્ત શ્રમણ સંઘનો મૂળ ગચ્છ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy