SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી (નગી પોશાળ), બિકાનેરીશાખા, ખજવાનાશાખા, તપાકોરંટક શાખા, તપાર–શાખા વગેરે અનેક તેના પેટા ભેદો છે. ગણધર કેશીસ્વામી તે ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમકાલીન સમર્થ આચાર્ય હતા. ૫. આ. સ્વયંપ્રભસૂરિ ૬. આ. રત્નપ્રભસૂરિજીએ ૫૦૦ વિદ્યાધરો સાથે દીક્ષા લીધેલી. એક શેઠે વિષ્ણુમંદિર બંધાવવાનું શરૂ કર્યું પણ દિવસે ચણે અને રાતે તૂટી પડે. તેણે આચાર્યમહારાજના કહેવાથી ભગવાન મહાવીરસ્વામીનું મંદિર બંધાવવાનું શરૂ કર્યું, જે નિર્વિને સંપૂર્ણ થયું. કુદરતનો ખેલ એવો બન્યો કે તેની ગાય લૂણદ્રહીની પહાડી પર હંમેશાં દૂધ ઝરી આવતી હતી, એ વાતની ગુરુમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે તે જમીનમાંથી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમા મળી આવી અને તેની પ્રતિષ્ઠા માટે વીર સં.૭૦ મહા સુદ ૫ ને ગુરુવારના બ્રાહ્મ સમયે પ્રતિષ્ઠા લગ્ન નિરધાર્યું. કોરટાના શ્રીસંઘે પણ તે જ લગ્નમાં કોરટામાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરવાનો નિરધાર કર્યો. આથી આચાર્ય મહારાજે બંને સ્થાને એક જ લગ્નમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી અને આ ચમત્કારિક ઘટનાથી જૈનધર્મની મોટી પ્રભાવના કરી. ત્યાર પછી આચાર્ય મહારાજે કોરટામાં જઈ મુનિ કનકપ્રભને આચાર્યપદવી આપી, તેનાથી કોરટા (કોટક) ગચ્છ ચાલ્યો. આ. રત્નપ્રભસૂરિએ વીર સં.૭૭ મહા સુદ પને દિવસે ઓસિયામાં ત્યાંના રાજાએ બનાવેલા મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને તેની દેવકુલિકામાં સચ્ચિકાદેવીની પણ પ્રતિષ્ઠા કરી. પરદેશી હુમલાઓ વખતે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા બીજે લઈ જવામાં આવી હતી એટલે તેને સ્થાને પાછળથી સચ્ચિકાને બેસાડવામાં આવી છે. એકંદરે આચાર્ય મહારાજે ૧,૮૦,૦૦૦ જૈનો બનાવ્યા. અને તેઓ વીર સં.૮૪માં સ્વર્ગવાસ પામ્યા. ૭. આ. યક્ષદેવસૂરિ સંભવતઃ તેમના ઉપદેશથી બંગાલમાં જૈનો થયા હતા જે આજે “સરાક તરીકે પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy