SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી વૈશાલીના ગણનાયક મહારાજા ચેટક તથા રાજા સિદ્ધાર્થ ઈત્યાદિ અનેક મહારાજા જૈન હતા. શુદ્ધોદન રાજાના પુત્ર શાક્યસિંહ પ્રથમે આ જ નિર્ગુન્થ સમૂહના પિહિતાશ્રવ મુનિ પાસે જૈન દીક્ષા લીધી હતી અને પછી તપસ્યાથી કંટાળી પોતાનો નવો બૌદ્ધમત ચલાવ્યો હતો. ૪. આ. શ્રીકેશી ગણધર - ઉજ્જૈનના રાજા જયસેન અને રાણી અનંગસુંદરીના પુત્ર કેશીકુમાર શ્રીવિદેશી મુનિનું વ્યાખ્યાન સાંભળી જૈનધર્મ પામ્યા અને તેમણે તેમના જ મુખેથી પોતાનો પૂર્વ વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી પોતાનાં માતા-પિતા અને બીજા ૫૦૦ મનુષ્યો સાથે જૈન દીક્ષાનો સ્વીકાર કરી જિનવાણીના પરિશીલનથી યોગ્યતા મેળવી ગણનાયકપદ પ્રાપ્ત કર્યું. આ આચાર્ય તાત્વિક વ્યાખ્યાતા, વાસ્તવિક પક્ષના અને સત્યગષક હતા. મતિ, શ્રત અને અવધિ એમ ત્રણ જ્ઞાનવાળા હતા. શ્વેતાંબિકાનો રાજા પ્રદેશી મોટો નાસ્તિક હતો. તે ચિત્ર મંત્રીની પ્રેરણાથી આ આચાર્ય પાસે આવ્યો અને અનેક પ્રશ્નો કર્યા પછી આ આચાર્યના ઉત્તરથી નિઃશંક બની પરમ જૈનધર્મી રાજા બન્યો. ગણધર શ્રીકેશીસ્વામી શ્રાવસ્તી નગરીના તંદૂકવનમાં હતા ત્યારે ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી ત્યાં આવ્યા અને ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં વિભિન્ન દેખાતા (૧) મહાવ્રત, (૨) વસ્ત્રષ, (૩) એકનો જય, (૪) સ્નેહપાશમુક્તિ, (૫) તુષ્ણાલતાોદ, (૬) કષાયાગ્નિશમન, (૭) મનોવેગદમન, (૮) સન્માર્ગ, (૯) દ્વીપ, (૧૦) દેહનો સાચો નાવિક, (૧૧) સર્વજ્ઞ પ્રકાશ, (૧૨) નિર્વાણસુખ વગેરે વિષયો પર જાહેર વાર્તાલાપ કર્યો. પરિણામે બંને તીર્થકરોનો માર્ગ એક જ છે એમ નિર્ણય થતાં ગણધર શ્રીકેશીસ્વામી પાંચ મહાવ્રત સ્વીકારી ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં દાખલ થયા અને તેઓનો શ્રમણસંઘ “પાર્થાપત્ય' તરીકે જાહેર થયો. આ શ્રમણ સંઘનાં નિર્ગુન્થ, ચાતુર્યામી, પાર્શ્વનાથ સંતાનીય, દ્વિવંદનિક, કંવલાગચ્છ વગેરે ઘણાં નામાંતરો છે તથા માથુરગચ્છ, કારંટાગચ્છ, કુકુદશાખા, ભિન્નમાલશાખા, ચંદ્રાવતીશાખા, મેડતાશાખા, ખટ્ટકૂપશાખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy