SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી જિનાગમ ભગવાન શ્રી મહાવીર સ્વામી જે જે ઉપદેશ આપતા હતા તેને તેના ૧૧ ગણધર શિષ્યોએ અર્ધમાગધી ભાષામાં આગમરૂપે તૈયાર કરેલ ગણધર શ્રીસુધર્માસ્વામીએ રચેલા દ્વાદશાંગીમાંના ૧૨ અંગો :૧. આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગસૂત્ર ૪. સમવાયાંગસૂત્ર ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૬. જ્ઞાતાધર્મકથા ૭. ઉપાસકદશા ૮. અંતકૃતદશા ૯, અનુત્તરૌપપાતિકદશા ૧૦. પ્રશ્નવ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર ૧૨. દષ્ટિવાદ ગણધર સુધર્માસ્વામીએ દ્વાદશાંગીમાં આ અંગોની રચના કરી હતી, આજે તે જ અંગો વિદ્યમાન છે. દુષમકાળની અસરથી તેમાંનો કોઈ કોઈ ભાગ વિચ્છેદ પામી ગયો છે, છતાંય જે શેષ છે તેના આધારે જ વર્તમાન જૈનશાસન પ્રવર્તે છે. આ જિનાગમો એ જ જૈનધર્મનું મૌલિક અને પ્રધાન સાહિત્ય છે. આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, અને છતાચાર એ પાંચે વ્યવહારો આ આગમને અનુસરતા હોય તો જ પ્રામાણિક મનાય છે. પરમ જૈનધર્મી રાજાઓ અને મહામંત્રી વગેરે ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં અનેક જૈનધર્મી રાજાઓ વગેરે થયા છે. એ સમયે ભારતવર્ષમાં મગધદેશનું સ્થાન શ્રેષ્ઠ અને મુખ્ય હતું. ભગવાન શ્રી મહાવીર સ્વામીના પરમ ઉપાસક શ્રેણિક અને કોણિક તેના રાજા હતા અને અભયકુમાર મહામંત્રી હતા. મહામંત્રી અભયકુમાર - ભારતીય ઈતિહાસમાં મગધને મહારાજ્યનું ગૌરવવંતુ સ્થાન અપાવવાનું માન અભયકુમારને જ ઘટે છે. અભયકુમારને પાનુરારિના યુદ્ધિ હતી. આજે પણ દરેક જૈન ગૃહસ્થ દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં “અભયકુમારની બુદ્ધિ હો” એમ લખીને એમને ભક્તિ અને પ્રેમથી નવાજે છે. (આ ખૂબજ ઔચિત્યપૂર્ણ છે અને ચાલુ રહેવું જોઈએ જ - સંપાદક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy