SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પર સ્થવિરાવલી ખરચવા, લેવડદેવડ-વિનિમય કરવા સંભાળી રાખવા તથા દેરાસરનાં કામકાજ કરવા ફરમાવવામાં આવે છે. વિક્રમના સોળમા શતકમાં સંપ્રદાયની છિન્નભિન્નતા ૭૩૬. સં. ૧૫૦૮ માં (વીરાત્ ૧૯૪૫ પછી) અમદાવાદમાં લોકશાહ નામના લહીઓને સાધુ પ્રત્યે અણરાગ થતાં અને સં. ૧૫૩૦ માં લખમસી નામના શિષ્ય મળતાં-બંનેએ ચાલુ પરંપરામાં કેટલોક વિરોધ દાખવ્યો. જિનપૂજા-જિનપ્રતિમાનો નિષેધ કર્યો. ‘સાથે જૈનોની આવશ્યક ક્રિયાઓ (પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન) કરવામાં તથા દાન દેવામાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવો પોકાર કરી જે જે ક્રિયા કરવામાં કોઈપણ અંશે હિંસા થાય તે, અસ્વીકાર્ય છે અને ઉપરની બાબતો કરવામાં હિંસા થાય એ જાતની પ્રરૂપણા કરી, જણાવ્યું કે મૂલ સૂત્ર માનવાં પણ તેમાં પ્રતિમાપૂજા કહી નથી. એવા સમયમાં પીરોજખાન નામનો પાતશાહનો માનીતો દેહરાં ને પોશાળો તોડી જિનમતને પીડતો અને તે સંયોગ મેળવી લોંકાશાહે પોતાના મતની પ્રરૂપણા કરી. અનેક લોક તેના વિચારમાં ભળ્યા' આવી વાત તે સમયના રચાયેલાં ગ્રંથોમાં છે.૪૭૪ લોંકાશાહે દીક્ષા લીધી નહિ, પણ તેમના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈને ‘ઋષિ' કહેવાયા. ૪૭૪. તપગચ્છના મુનિ લાવણ્યસમય કવિએ સિદ્ધાંત ચોપઈ સં. ૧૫૪૩માં (તે સમયમાં જ) રચી તેમાં આ લોંકાશાહની માન્યતાઓ આપી તેની સામે ઉત્તર રૂપે ચર્ચા કરી છે. તેમાં નીચે પ્રમાણેનું છે : સુણિ ભવિયણ જિણ વીરજિણ, પામીઉ શિવપુર ઠાઉ. ૨ સઈ ઉગણીસ વરસ થયાં, પણયાલીસ પ્રસિદ્ધ, ત્યાર પછી લુંકુ હુઉ, અસમંજસ તિeઈ કિદ્ધ. ૩ લુંકઈ વાત પ્રકાસી ઈસી, તેહનું સીસ હુઉ લખમણી, તીણઈ બોલ ઉથાપ્યા ઘણા, તે સઘલા જિનશાસન તણા ૧૧ * * , મહિયલિ વડું ન માને દાન. પોસહ પડિકમણું પચ્ચખાણ નવિ માને એ ઈસ્યા ૪ ક. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy