SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી - ૫૧ ૨૦૦. વલભીપુરનો સીથીઅન આદિ પરદેશી જાતોનાં તથા અન્ય આક્રમણોથી ત્રણ વખત ભંગ થયો એમ જૈન પ્રબંધકાર કહે છે. ‘ભંગ” નો અર્થ “સર્વથા નાશ નથી થતો. પહેલો ભંગ વિ. સં. ૩૭૫માં થયો. - ૨૦૧. વિ.સં. ૫૧૦ (પર૩) માં હાલના ગુજરાતમાં આનંદપુરવૃદ્ધનગર હતું (હાલનું વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધનેશ્વરસૂરિ નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણથી થયેલ શોક શમાવવા જૈનાગમ નામે કલ્પસૂત્રની વાચના કરી હતી, અને તે વાચના હજુ સુધી જૈન સંઘ સમક્ષ તેમના પર્યુષણ નામના તહેવારમાં થયાં કરે છે. ૨૦૨. વળી એમ કહેવાય છે કે બીજા કાલિકસૂરિ થયા તેમણે જે અત્યાર સુધી પર્યુષણનું “સાંવત્સરી’ પર્વ ભાદ્રપદ શુદિ પાંચમ ને રોજ થતું હતું અને ચોમાસી પૂર્ણિમાએ થતી હતી તેને બદલે ચોથની સંવત્સરી અને ચતુર્દશીની ચોમાસી કરાવી ને તે વીરાત્ ૯૯૩ માં ચતુર્વિધ સંઘે આચર્યું. ૧૩૯, કલ્પસૂત્રમાં જણાવેલું છે કે:- સર્વ દુઃખ જેણે પ્રક્ષીણ કર્યા છે એવા શ્રમણ ભગવાન્ મહાવીરના નવ ગત વર્ષે અતિક્રમ્યા પછી દશમાં શતકમાં એંસીમો સંવત્સર કાલ જાય છે-વાચનાંતરમાં પુનઃ ત્રાણુમો સંવત્સર ચાલે છે. આ બે જુદી જુદી વાચના-પાઠ છે તેથી કોઈ અનુમાન કરે છે કે કલ્પસૂત્ર-દેવર્ધિ ક્ષમાશ્રમણથી લખાયાનું વર્ષ વીરાત્ ૮૦(વિ.સં.૫૧૦) છે, રાજસભામાં વાંચવાનું શરૂ થયાનું વર્ષ વીરાત્ ૯૯૩ (વિ.સં. પર૩) છે. ડૉ. યાકોબીની કલ્પસૂત્ર આવૃત્તિ પૃ. ૬૭. ફૂટનોટ - ૨૫૮ - અનિશ્રાએ વિધિપૂર્વક થયેલ શ્રી જૈન ચૈત્યાલયમાં એવી આજ્ઞા છે કે તેમાં ઉત્સુત્ર જનક્રમ નથી, રાત્રે સ્નાત્ર-સ્નાન નથી. સાધુઓ માટે મમતાપૂર્વક રહેવાનો આશ્રય નથી, રાત્રે સ્ત્રીઓનો પ્રવેશ નથી, જાતિજ્ઞાતિનો કદાગ્રહ નથી. (ગમે તેને આવવાની છૂટ છે), ત્યાં શ્રાદ્ધોને તાંબૂલ ખાવાનું નથી. इह न खलु निषेधः कस्यचिद् वंदनादौ, श्रुतविधि बहुमानी त्वत्र सर्वाधिकारी । त्रिचतुरजनदृष्ट्या चात्र चैत्यार्थवृद्धि-व्ययविनिमयरक्षा चैत्यकृत्यादि कार्यम् ॥ –અહીં કોઈને પણ દર્શન પૂજન કરવા માટે ના પાડવામાં આવનાર નથી. વળી સૂત્રવિધિને માન આપનાર હરકોઈ માણસને અહીં અધિકારી તરીકે ગણવામાં આવશે. તેમજ આ દેરાસરના દ્રવ્ય એ ત્રણ ચાર જણાની નજર નીચે વ્યાજે ધીરી વધારવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy