SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સ્થવિરાવલી આ સિદ્ધસેનગણિએ જ તે વૃત્તિ ઉપરાંત આચારાંગવિવરણ કે જે અનુપલબ્ધ છે તે રચ્યું હતું. તેઓ સૈદ્ધાન્તિક હોઈ આગમવિરૂદ્ધની ગમે તેટલી તર્કસિદ્ધ બાબત હોય તો તેનું આવેશપૂર્વક ખંડન કરી સિદ્ધાંત પક્ષનું સમર્થન કરતા તેથી તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમનું તે “ગંધહસ્તી વિશેષણ આપ્યું હોય એમ લાગે છે. તેમનો સમય સાતમા અને નવમા સૈકાની વચ્ચે હોવાનું સ્પષ્ટ છે. ૧૯૮. જૈન પરંપરાના કથન પ્રમાણે વિ.સં. ૨૩૦ (યા ૫૮૫)માં ૧૪ થયેલા હરિભદ્ર સૂરિએ ૧૪૪૪ પ્રકરણો રચ્યાં તે પૈકી કેટલાંકમાં, સર્વદર્શનોનો નિષ્પક્ષપાતપૂર્વક સમન્વય કરી સર્વનું ન્યાયદષ્ટિથી તોલન કર્યું છે, કેટલાકમાં જૈનયોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી છે, કેટલાક ગ્રંથો ટીકા-વૃત્તિરૂપે છે. પ્રાકૃતમાં પ્રસિદ્ધ સમરાદિત્ય કથા રચી છે. ૧૩૪ અર્થાત્ (૧) હરિભદ્રસૂરિ વિક્રમ ભૂપથી પ૩૦માં અસ્ત થયા. (૨) હરિ(ભદ્ર)સૂરિ વીરાત)૧૦૫૫માં (=૫૮૫ વિ.સં.માં) હતા ને બપ્પભટ્ટ સૂરિ વીરાત્ ૧૩૦૦માં હતા. પંરક્ષણ વાળી ગાથા સમયસુંદરે સં. ૧૯૩૦માં રચેલી ગાથાસહસ્ત્રીમાં પણ ટાંકી છે, તે ગાથામાં પતી ને બદલે પાણી (એટલે ૫૮૫) જોઈએ એમ વેબરે સુધારેલ છે, વીરાત્ ૧૦૫૫ એ રીતે મળી રહે, પણ વિચારામૃત સંગ્રહમાં આ. હરિભદ્રનો કાળ વીરાત્ ૧૦૫૦ (પંચાલતા) લખેલ છે પણ તે પંર પંચાતા ને બદલે ભૂલ હોય. (ડા. યાકોબી) ૧૯. વલભી સંઘ આગમના સંકલનાર્થે મળ્યો તે વખતે વલભીપુરમાં શીલાદિત્ય રાજા હતો ને વલભીપુરમાં શીલાદિત્ય નામના રાજાઓ થતા ગયા. ત્યાં એટલે સૌરાષ્ટ્રમાં શત્રુંજય તીર્થનું માહાભ્ય વિક્રમરાજાના સમયથીજ થતું ચાલ્યું અને સૌરાષ્ટ્રમાં જ જૈનોના પવિત્ર ગ્રંથો પુસ્તકારૂઢ થયા,-એ તેમજ નેમિનાથ તીર્થંકરનું ચરિત્ર ગિરિનાર સાથે સંબંધ ધરાવે છે-એ સર્વ વાત સ્પષ્ટ બતાવે છે કે જૈનોએ સૌરાષ્ટ્રમાં ઘણા પ્રાચીન સમયથી પગપેસારો કરી સૌરાષ્ટ્રને પોતાની ભૂમિ બનાવી હતી. ભૃગુકચ્છમાં આર્ય ખપૂટાચાર્ય આદિ વિક્રમરાજાના સમય લગભગ થયા એ પણ બતાવે છે કે ગુજરાતમાં જૈનોનું આગમન ઘણા પ્રાચીનકાળથી હતું.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy