SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૪૯ વલભી‘સંઘ'-પરિષ દેવર્કિંગણી. ૧૯૪. આ પછી જૈન ‘સૂત્રો-આગમો સંબંધમાં નવી ઘટના થઈ. પ્રકૃતિની અકૃપાથી પાછી બારદુકાળીએ વીરાત્ ૧૦ મા સૈકામાં દેશ પર પોતાનો પંજો ચલાવ્યો, તે વખતે તો ઘણા બહુશ્રુત વિદ્વાનોનું અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રત રહેલું હતું, તે બહુજ છિન્નભિન્ન થઈ ગયું હતું. શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમાણે બાર દુકાળીને લીધે ઘણા સાધુઓનાં નાશ થતાં અને અનેક બહુશ્રુતોનો વિચ્છેદ થતાં, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવી પ્રજાના ઉપકાર માટે વીરાત્ ૮૦માં (વિ.સં.૫૧૦માં) શ્રી સંઘના આગ્રહથી તે કાળે બચેલા સાધુઓને ઉપર્યુક્ત વલભીપુરમાં બોલાવી તેઓના મુખથી અવશેષ રહેલ ઓછાવત્તા, ત્રુટિત અને અત્રુટિત આગમના પાઠો-આલાપોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા. આવી રીતે મૂળમાં સિદ્ધાન્તો ગણધરો” ના ગૂંથેલાં, તેનું દેવર્ધિગણિએ પુનઃ સંકલન કર્યું. આ વલભીપુર પરિષદ્ માં થયેલ સંકલનને “વલભીપુર વાચના” કહેવામાં આવે છે. આ સૂત્ર ગ્રંથોનું છેલ્લું સંસ્કરણ છે. -દુર્ભિક્ષ થતાં સ્કેન્દિલાચાર્ય અને દેવર્ધિગણિના વારામાં ગણનાના (હંમેશ ભણી જવાના) અભાવથી સાધુ સાધ્વીને શ્રુત વિસ્મૃત થયું. પછી સુકાળ થતાં સંઘનું મળવું વલભીમાં અને મથુરામાં સૂત્રાર્થની ઘટના કરવા માટે થયું, વલભીમાં મળેલા સંઘમાં અગ્રણી દેવર્ધિગણિ હતા, મથુરામાં મળેલા સંઘના સ્કન્દિલાચાર્ય અગ્રણી હતા. ત્યાર પછી અહીંતહીં તેમાં વાચનાભેદ-પાઠભેદ થયો. બંનેનો ભેદ વિસ્મૃતનું સ્મરણ કરતાં નિયમે થાય. ત્યાર પછી અર્વાચીન પાપભીરૂ ગીતાર્થોએ આગળથી નિર્ણય બાંધ્યા વગર બંને મતને સરખી રીતે કક્ષામાં મૂક્યા. ૧૯૭. દેવર્ધિગણિના સમયમાં સિદ્ધસેનગણિ થયા મનાય છે. કે જેમણે શ્રી ઉમાસ્વાતિના તત્વાર્થાધિગમસૂત્ર પર તત્ત્વાર્થ ટીકા નામની ટીકા રચી. તેમાં પ્રમાણ’ અને ‘નય’ એ જૈન તર્કશાસ્ત્રના મુખ્ય લાક્ષણિક અંગ છે તે પર વિશેષ ચર્ચા કરી છે; તેઓ દિન્નમણિના શિષ્ય સિંહગિરિના શિષ્ય ભાસ્વામિના શિષ્ય હતા એમ તેની પ્રશસ્તિમાં પોતે જણાવે છે. તેઓ આગમપ્રધાન વિદ્વાન્ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy