SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૫૩ જિનપૂજા કરવા મતિ ટલી, અષ્ટાપદ બહુ તીરથ વલી, નવિ માને પ્રતિમા પ્રાસાદ, x x ૧૪ અને ખરતર ગચ્છના કમલસંયમ ઉપાધ્યાય કે જેમણે સં. ૧૫૪૪ અને સં. ૧૫૪૯ માં ગ્રંથરચના કરી એટલે જેઓ તે સમયમાં થયા તેમણે ગૂજરાતી ગદ્યમાં આ લોંકાશાહની પ્રરૂપણાના પ્રત્યુત્તર રૂપે સિદ્ધાંત સારોદ્વાર સમ્યત્વોલ્લાસ ટિપ્પણક ર તેમાં પ્રથમ ૧૩ કડીની ચોપાઈ આપી છે. તેમાંથી પ્રસ્તુત વાત જેટલું ઉતારવામાં આવે છે: સંવત્ પનર અઠોતરઉ જાણિ, લુકુ લેહ મૂલિ નિખાણિ. તેહને શિષ્ય મિલિઉ લખમસી, * * ટાલઈ જિન પ્રતિમાનઈ માન, દયા દયા કરિ ટાલઈ દાન. ૩ ટાલઈ વિનય વિવેક વિચાર, ટાલઈ સામાયિક ઉચ્ચાર, પડિકમણાનવું ટાલઈ નામ, ભામઈ પડિયા ઘણા તિણિ ગામ. ૪ સંવત્ પનરનુ ત્રીસઈ કાલિ, પ્રગટયા વેષધાર સમકાલિ, દયા દયા પોકારઈ ધર્મ, પ્રતિમા નિંદી x x ૫ એહવઈ હૂઉ પીરોજનિખાન, તેહનઈ પાતસાહ દિઈ માન, પાડઈ દેહરા નઈ પોસાલ. જિનમત પીડઈ દુખમાકાલ. ૬ લુકાનઈ તે મિલિઉ સંયોગ, * * ડગમગિ પડિઉ સઘલઉ લોક; પોસાલઈ આવઈ પણિ ફોક. ૭ આ ચોપઈ પછી ગદ્યમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “સંવત્ ૧૫૦૮ વર્ષે અહમ્મદાવાદ નગરે લુકુ લેહુ ભંડાર લિખતુ * તેહનઈ લખમસી શિષ્ય મિલઉ . * તે લખમસીના પ્રતિબોધ થકી સંવત્ ૧૫૩૦ વર્ષે ભિક્ષાચર વ્રતના ઉચ્ચાર પાખઈ ન મહાત્મા માહિ ન મહાસતી માહિ ન શ્રાવકમાહિ ન શ્રાવિકા માહિ એતલા કારણ ભણી સંઘબાહ્ય કવિરાઈ I હવઈ જિનપ્રતિમા ઉથાપવાનઈ કાજિ તેણે લુકે એહવઉ બોલ લીધઉI જે મૂલસૂત્ર વ્યતિરેક બીજા શાસ્ત્ર ન માનવું છે તે કહઈ મૂલસૂત્ર માહિ પ્રતિમા પૂજા નથી કહિયા * તુ લુકઉ લેહઉ સંવત્ ૧૫૦૮ હુઉ . અનઈ જિનપ્રતિમા લખમસીઈl સંવત્ ૧૫૩૦ ઉથાપી | વગેરે. આ બંને ચર્ચાગ્રંથો છે તે પરથી એમ લાગે છે કે લોંકાશાહના મંતવ્યોએ ઘણો ખળભાળાટ ઉત્પન્ન કર્યો હતો અને ત્યારે તે સંબંધીના વાદો – ઉત્તર પ્રત્યુત્તર થતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy