SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી છે. ૪૪ વર્ષ શ્રમણ તરીકે ૩૬ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા ને ૮૮ વર્ષે સ્વર્ગસ્થ થયા. યુગપ્રધાનપદ આ રીતે વીરાત્ ૫૪૮ (વિ.સં.૭૮) થી ૫૮૪ (વિ.સં.૧૧૪) સુધી રહ્યું. સુહસ્તિગિરિ ૪૪ મથુરાનો કંકાલી ટીલો ૧૭૪. વિ. સં. ની બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાલા જૈન સ્તૂપથી તથા ત્યાંના કેટલાંક બીજાં સ્થાનોથી મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂત્તિઓથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે પણ ત્યાં ત્યાં જૈન ધર્મનો સારો પ્રસાર હતો, એટલું જ નહિ પરંતુ મથુરા જૈનોનું એક કેન્દ્રસ્થાન હતું. અર્હત્ વર્ધમાનનું એક નાનું મંદિર બંધાવ્યાનો તેમાં લેખ છે. ઉપરાંત કેટલાક આચાર્યોના ગણ, શાખા વગેરેનો ઉલ્લેખ છે. આ આચાર્યોના નામ, ગણ શાખા વગેરે શ્વેતાંબર કલ્પસૂત્રમાં જે આપેલ છે તેની સાથે મળતાં આવે છે તેથી તે શ્વેતાંબર સિદ્ધ થાય છે.૧૦૮ ૧૦૮. ખરો અર્થ કરી આ લેખોને જૈન બતાવનાર ડૉ. ભગવાનલાલ ઈંદ્રજી હતા. આ માટે જીઓ જર્મનમાં ડૉ. બુહ્લરનો મૂળ ગ્રંથ અને તેનો ડૉ. બર્જેસે કરેલ અંગ્રેજી અનુવાદ "On the Indian Sect of the Jainas" પૃ. ૪૧-૪૪ અને પરિશિષ્ટ પૃ. ૪૮ થી ૬૦; Archaeological Survey Reports Vol. III plates 13-15; Smith's Mathura Antiquities. આ છેલ્લા પુસ્તકમાં એક જૈન મૂર્તિ અને નીચે બે શ્રાવક તથા ત્રણ શ્રાવિકાઓની ઉભી મૂત્તિઓ છે. આ ત્રણે સ્ત્રીઓએ લેંઘા પહેરેલા છે. આ પરથી તે વખતનો પોશાક કેવો હતો તે જણાય દ. મથુરાસંઘ-પરિષદ્ जेसिं इमो अणुओगो पयरइ अज्जावि अड्ड-भरहम्मि | बहुनयरनिग्गयजसे ते वंदे खंदिलायरिए || - नंदिसूत्रं गाथा ३३ -જેનો અનુયોગ અદ્યાપિ અર્ધ ભરત(ક્ષેત્ર)માં પ્રવર્તે છે – પ્રચલિત છે અને જેનો યશ બહુ નગરોમાં પ્રસિદ્ધ છે-વ્યાપી રહ્યો છે તે સ્કન્દિલાચાર્યને હું વંદુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy